SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠ કરી અમાવાસ્યાએ પારણું કરી પહેલે પડવે અકેલો ઉપવાસ થાય.” (સિદ્ધચક્ર, વર્ષ-૪, અંક-૨૧, પૃ. ૫૦૭). ૧૧) (લૌકિક ટિપ્પણા અંગે પૂ. સાગરજી મહારાજાનો ખુલાસો) પ્રશ્ન : જેન ટીપ્પણાના અભાવે લૌકિક ટીપણાના આધારે તિથિઓ મનાય છે કે પહેલાં પણ મનાતી હતી ? સમાધાન : પ્રાચીન ગ્રંથોમાં જે એમ લખે છે કે હમણાં જેને ટીપ્પણું નથી,' એ ઉપરથી કેટલાકો કહે છે કે, પહેલાં જૈન ટીપ્પણું પ્રવર્તતું હતું. પણ મૂલસૂત્રોમાં આષાઢ આદિ મહિનાના અને પડવા આદિ તિથિઓનો વ્યવહાર હોવાથી પ્રથમ પણ વ્યવહાર લૌકિક ટીપ્પણાને અંગે હોવો જોઈએ એમ કહી શકાય. (સિદ્ધચક્ર વર્ષ-૧, અંક-૭, પૃ.-૧૫૨) ૧૨) (પૂ સાગરજી મહારાજાનો સત્તાવાર અને અગત્યનો ખુલાસો) “સંવત્સરીના પહેલાના આઠ દિવસોમાં જે જે કોઈ તિથિની હાનિ કે વૃદ્ધિ હોય તેને લક્ષ્યમાં લઈને તે પ્રમાણે વહેલા કે મોડા પર્યુષણ શરૂ કરાય છે, માનો કે ચોથથી માંડીને પાછલી બારસ સુધીમાં (8ા. વદ-૧૨ સુધીમાં) કોઈપણ તિથિ વૃદ્ધિ હોય તો તેરસથી પર્યુષણાની શરૂઆત કરવી પડે છે. અને કોઈપણ તિથિ હાનિ હોય તો અગીયારસથી જ પર્યુષણાની શરૂઆત કરવી પડે છે. પર્યુષણા બેસવાની તિથિ પલટે પણ પાક્ષિક અને સાંવત્સરિક તિથિઓ જે ચૌદસ અને ચોથ છે તે પલટે જ નહિ.” (સિદ્ધચક્ર વિ.સં. ૧૯૯૨ વર્ષ-૪, અંક-૯-૧૦, પૃ. ૪૫૪). ૧૩) (જીત-વ્યવહાર કે પરંપરા પણ કઈ માન્ય હોઈ શકે તે માટે પૂ. શ્રી. સાગરજી મહારાજાનો ખુલાસો) જે પરંપરાના આચારરૂપી જીત આચારથી આત્માની અથવા આચારની અશુદ્ધિ થાય તેમ જ શિથિલાચારી, અને પ્રમાદીઓએ ઘણાઓએ મલીને પણ આચરેલું હોય તો પણ તે છત આચરવા લાયક નથી." (સિદ્ધચક્ર વર્ષ-૪, અંક-૧૫, પૃ. ૩૪૮) सुरोषु किं बहुना ? स्तोकोपि बहवे। बहवेऽपि स्तोकाय॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy