SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ક) એક તિથિપક્ષના તે કહેવાતા શાસ્ત્રપાઠોમાં તપાગચ્છના સર્વમાન્ય પ્રામાણિક આચાર્યોએ પોતાના ગ્રંથોમાં જણાવેલા ઉદયમ્મિ જો' શાસ્ત્રનિયમનો અને ‘ક્ષયે પૂર્વા.' પ્રઘોષના વચનનો સ્પષ્ટરીતે ભંગ થયેલો દેખાય છે, તો તે કેવી રીતે માન્ય કરી શકાય ? ડ) પૂર્વના મહાપુરુષો પૂર્ણિમાની વૃદ્ધિએ બીજી પૂનમે આરાધના કરવાનું કહેતા હોય, ત્યારે તેમની જ પાટ પરંપરામાં થયેલા આ. દેવસૂરિ મ. પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાનું કહે ખરા? અને પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવા કોઈ આધાર તો આપવો જોઈએ ને ? તે આધાર વિના કઈ રીતે પ્રમાણભૂત માની શકાય? ઈ) બે તિથિપક્ષની માન્યતાને પુષ્ટ કરતા શ્રાદ્ધવિધિ, પર્યુષણા સ્થિતિ વિચાર, શ્રી હરિપ્રશ્નોત્તરાણિ, શ્રીસેનપ્રશ્ન, તત્ત્વ તરંગિણી, કલ્પસૂત્રની ટીકાઓ, શ્રીપાક્ષિક પર્વસાર વિચાર, ધર્મસંગ્રહ, આ ગ્રંથો છે. (તેના પાઠો આ પુસ્તિકાના પૃ. નં ૪૭ ઉપર પરિશિષ્ટ-૩ માં અર્થસહિત આપ્યા છે.) તે શાસ્ત્રો ૧૫-૧૬-૧૭ સૈકામાં રચાયેલા છે. તેમાં તિથિની ક્ષય-વૃદ્ધિમાં જે વ્યવસ્થા બતાવી છે. તેનાથી વિપરીત વ્યવસ્થા ૧૭૯૨ ની સાલની કહેવાતી ‘પાક્ષિક વિચાર” પ્રતમાં છે. તો તે કેવી રીતે માન્ય બને? શ્રાદ્ધવિધિકાર આદિએ પોતાની તિથિ વિષયક માન્યતા માટે કારણો આપ્યા છે, સાક્ષીપાઠો આપ્યા છે. જ્યારે પાક્ષિક વિચાર’ પ્રતમાં પોતાની માન્યતા માટે કોઈ કારણો કે સાક્ષીપાઠો આપ્યા નથી. તેથી પણ સિદ્ધ થાય છે કે તે પાઠો આધાર વિનાના હોવાથી અપ્રમાણિત છે. (૩) વિભાગ -૮, પૃ. ૧૯-૨૦ ઉપર હરિપ્રશ્નોત્તરના પાઠની સમીક્ષા કરી પત્રિકાકારે અકબર પ્રતિબોધક પૂ. આ. ભ. શ્રી હીરસૂરિ મહારાજાના તપ અંગેના ઉત્તરની વિચિત્ર સમીક્ષા કરી આશતના કરી છે. તે અંગેના ખુલાસો અમારા પાછળ આપેલા ૧ થી ૪ પરિશિષ્ટોમાંથી મળી જશે. પૂ. ઝવેરસાગરજી મ. નું હેન્ડબીલ તથા પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિ મ. ના સિદ્ધચક્ર માસિકના અંશો જ જવાબ આપશે. (પરિશિષ્ટ-૧ અને ૪ જેવા ભલામણ.) (૪) પૃ. ૨૩ ઉપર પત્રિકાકારે વર્તમાનકાલીન તમામ વિવાદો માટે આડેધડ ચર્ચા કરી ૩૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy