SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ૨ ૨૭ પૃષ્ઠીય નનામી તિથિવિવાદ અને સરળ સમજણ” હેડીંગવાળી પત્રિકાની સમાલોચના આમ તો વિભાગ-૧માં કરેલી વિચારણા અને સમાલોચનાથી ર૭ પેજની પત્રિકાનો જવાબ આવી જ જાય છે. છતાં પણ થોડી વિચારણા કરી લઈએ. (૧) પૃષ્ઠ ૨૩ ઉપર કેટલીક પ્રશ્નોત્તરી આપી છે; તેમાં પ્રશ્નના ઉત્તરમાં તદ્ન અસત્ય વાતની રજૂઆત કરી છે. પૂજ્યપાદ આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરિશ્વરજી મહારાજાની તિથિ અંગે શું માન્યતા હતી તે સૌ કોઈ સુપેરે જાણે છે. ૨૦૨૦ નો પટ્ટક શા માટે કરવો પડ્યો, તેનો ઈતિહાસ પણ સૌ જાણે છે. તે પટ્ટકમાં લખેલા “ગુરુ-અભિયોગ’ અને ‘અપવાદિકઆચરણા” આ બે પદો ઉપર દષ્ટિ કરવામાં આવશે, તો પૂ આ. ભ. શ્રી. વિ. પ્રેમસૂરિ મ. સા. ની શું માન્યતા હતી, તે જાણવા મળશે. (તેઓશ્રીમી તિથિ અંગેની માન્યતા પરિશિષ્ટ-૧૨માં જોવી) (૨) વિભાગ-૭, પૃ. ૧૮ ઉપર એક તિથિની માન્યતાની પૃષ્ટિ માટે શાસ્ત્રપાઠો આપ્યા છે. તેના વિષયમાં એટલું જ જણાવાનું છે કે ... અ) પાક્ષિક વિચાર પ્રત સં. ૧૭૯ર ની છે, એવું મનાવાયી રહ્યું છે. તેમાં તેના કર્તા કોણ છે? તે આજ સુધી જાણી શકાયું નથી. તેમાં જે ચૌદસ-પૂનમઅમાસની ક્ષય-વૃદ્ધિ વખતે અને ભાદરવા સુદ-પાંચમની ક્ષય-વૃદ્ધિ માટે વ્યવસ્થા બતાવી છે, તે ૧૪-૧૫-૧૬ માં સૈકામાં થયેલા સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિઓ કરતાં તદ્દન વિપરીત બતાવી છે. તેથી જ પ્રમાણભૂત નથી. બ) લવાદી ચર્ચામાં પૂ. આ. ભ. શ્રી દેવસૂરિ મહારાજાનો મતપત્રક મૂકવામાં આવેલો તેને લવાદશ્રીએ અપ્રમાણભૂત સિદ્ધ કરેલો જ છે. અને તે પૂ. આ. ભ. શ્રી દેવસૂરિ મ. નો નથી, તે પણ સિદ્ધ કરી આપ્યું છે. લવાદી ચર્ચા સમયે આ કહેવાતા મતપત્રકની મૂળનકલ પણ લવાદ સમક્ષ એ પક્ષ મૂકી શક્યો ન હતો. ૩૨ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy