SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ નાહકનો ફલેશ કર્યો છે. તેઓ પ્રશ્ન-૪ ના ઉત્તરમાં લખે છે કે.... “ભગવાન અને સર્વ સાધુઓ સર્વજીવોના કલ્યાણની જ વાતો કરતા હતા, જ્યારે જમાલી મુનિ અને પ્રિયદર્શના સાધ્વી ‘ક્રિયમાં વૃત' નો જ મુદ્દો લઈને સત્ય શું? તે બધે સમજાવતા ફરતા હતા. એમ આ કાળમાં તિથિ, સંતિક, નવાંગી વગેરે મુદ્દાઓ લઈને પણ ફરનારા છે. તેઓ કહે તેમ જેઓ સ્વીકારે તેઓમાં જ તેમને સાચા સમકિતિના દર્શન થાય છે.” અહીં પત્રિકાકારને યાદ રાખવાની જરૂર છે કે ..... - ભગવાને લોકોના હિતનો વિચાર કરીને જ જમાલીને સંઘ બહાર કર્યા હતા. સુદર્શના સાધ્વી સંઘ બહાર હતા, ત્યારે જ કુંભારને ભગવાનની સત્ય વાત સમજાવીને સા. ને પાછા સત્યમાર્ગે લાવવાની જરૂર પડી હતી. ભગવાને ગોશાલાના મતનું પણ જાહેરમાં ખડન કર્યું જ હતું. - તમે લોકો પૂર્વે પખિ પ્રતિક્રમણ બાદ સંતિકર શા માટે નહોતા બોલતા ? તે જગતને જવાબ આપશો ને ? પૂ. જગદગુરૂ આ. ભ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. શ્રી. સેન સૂ. મ, પૂ. આ. શ્રી. દેવસૂરિ મ, પૂ. આ. સિંહસૂરિ મ. આદિનું તેમજ પૂ. આ. શ્રી પ્રેમસૂરિ મ., પૂ. આ. શ્રી યશોદેવસૂરિ મ., પૂ. આ. શ્રી કલાપૂર્ણ સૂરિમ. તેમજ પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ. નું ઠેરઠેર નવાંગી ગુરૂપૂજન થયેલું, તે વિહિત હતું કે નહિ, એટલું જ માત્ર જાહેર કરો ? કે પછી પક્ષ બદલ્યો કે કર્યું-કરાવ્યું ધૂળ એ ન્યાય છે? બહેનોને ગોચરી વહોરાવતી વખતે પણ નજીક આવવાનું બનતું જ હોય છે. અને ત્યારે તો પ્રાયઃ કરીને બહેનો એકલી જ ઘરમાં હોય છે, તો તે વખતે કોઈ આપત્તિ દેખાતી નથી. તેમજ વાસક્ષેપ નખાવતી વખતે અને રાજસ્થાનમાં સામૈયા વખતે માથે બેડું લઈને ગુરુને પ્રદક્ષિણા આપ્યા બાદ નીચા નમીને માથે રાખેલ તે બેડામાં ગુરુ પાસે વાસક્ષેપ નખાવે છે અને ત્યારે નવાંગી પૂજનનો વિરોધ કરનારા તે બેડામાં વાસક્ષેપ અને નવકારવાળી નાખે જ છે. તેમાં તેમને નવાવાડ, અવગ્રહ કે એવા કોઈ મુદ્દા યાદ આવતા ૩૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy