SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાની કહી છે. જીવોનું આત્યંતિક હિત ભગવાનની આજ્ઞાના પાલનમાં છે - પાપથી નિવૃત્ત થવામાં છે. વળી ભગવાને બતાવેલી મૈત્રી ભાવનાનો વિષય જગતના સર્વજીવો છે, એમાથી કોઈપણ પક્ષ બાકાત ન રહે. આચાર્ય શ્રી અભયશેખરસૂરિજીએ પૃ. ૨૮ ઉપર સંઘના નુકશાનને જણાવ્યું છે, તે શાસ્ત્રીય શૈલીએ તિથિ આરાધવાના કારણે નહિ, પણ અશાસ્ત્રીય શૈલીએ તિથિદિન નક્કી કરવાના અને તે મુજબ આરાધના કરવાના આગ્રહને કારણે અને અનેક અન્ય વિષયોમાં માનાદિ કષાયોના કારણે થઈ રહ્યું છે. આથી એ વિચારવું જરૂરી છે કે એકતા શાસ્ત્રીય સત્યના ભોગે કરી શકાય ? સત્યના ભોગે એકતા કરી હોય અને તેને માન્યતા મળી હોય, તેવું એકપણ ઉદાહરણ આપી શકશો ? એકતા ક્યારે તૂટી ? કેમ તૂટી ? સત્યના આગ્રહમાંથી એકતા તૂટી ? આપણા મહાપુરુષોએ એકતાને મહત્ત્વ આપ્યું હતું કે સત્યને મહત્ત્વ આપ્યું હતું ? આ બધી વાતોના જવાબ આપવા જોઈએ છેલ્લે એટલું જ જણાવવાનું કે સંઘ એક દિવસે આરાધના કરે તેમાં કલ્યાણ ત્યારે જ થાય, કે જ્યારે શાસ્ત્રસાપેક્ષ આરાધના દિન હોય ! આ વર્ષે સંવત્સરીનો શાસ્ત્રસાપેક્ષ આરાધના દિન ભા. સુદ-૪, બુધવાર તા. ૭/૯/૨૦૦૫ ના રોજ છે. વિશેષમાં આચાર્ય શ્રી પૃ. ૨૧ ઉપર લખે છે કે ‘‘બાકી વાસ્તવિકતા એ છે કે ઘણા બધા સંવિગ્નગીતાર્થો ભેગા થઈને જે આચરણા શરૂ કરે – પ્રવર્તાવે એ ખુદ જ જિનાજ્ઞા છે.’” એવું ‘આયરળા વિ હૈં આત્તિ' વગેરે શાસ્ત્રવચનો જણાવે છે’’ ,, ****.... આચાર્યશ્રીની ઉપરોક્ત વાત અર્ધસત્ય છે, પણ પૂર્ણસત્ય નથી, કારણ કે આ માટે તેમણે ઘણા પ્રશ્નોના જવાબ આપવાના બાકી રહે છે. ૧) આચાર્ય ભગવંતો જે આચરણા ચાલુ કરે, તેમાં શાસ્ત્રસાપેક્ષતા હોય કે નહિ ! આચાર્ય ભગવંતો જે કરે, તે જીતવ્યવહારરૂપ બને કે નહિ ? ૨) પ્રવર્તાવેલી આચરણા શાસ્ત્રથી બાધિત તો ન જ હોય ને ? ૩) શાસ્ત્રથી બાધિત આચરણા પ્રવર્તાવવામાં સંવિગ્નતા અને ગીતાર્થતા ટકે ખરી ? ૪) જેમાં સીધું શાસ્ત્રવચન મળતું હોય, તેમાં સંવિગ્ન – ગીતાર્થો ફેરફાર કરે ખરા ? Jain Education International ૨૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy