SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૫) જેમાં સીધું શાસ્ત્રવચન મળતું ન હોય, તેવી પ્રવૃત્તિમાં પણ શાસ્ત્રસાપેક્ષતા જીવંત રહે અને યુક્તિથી શાસ્ત્રસાપેક્ષતા સિદ્ધ કરી શકાય એવી આચરણા જ સંવિગ્ન અને ગીતાર્થો પ્રવર્તાવે ને? ૬) અસંવિગ્નોએ પ્રવર્તાવેલી શાસ્ત્રનિરપેક્ષ આચરણાને સંવિગ્ન - ગીતાર્થો માન્ય કરે ખરા ? અસંવિગ્ન યતિઓ દ્વારા પ્રવર્તાવેલી શાસ્ત્ર નિરપેક્ષ તિથિની હેરાફેરી = તિથિની આચરણાને સંવિગ્ન – ગીતાર્થો શાસ્ત્રાજ્ઞા માની શકે ખરા ? તે જ યતિઓ દ્વારા ક્રિયાઓમાં શિથીલતા કરાઈ હતી. તેવા સમયે પૂ. પં. સત્યવિજયજી મહારાજા આદિ એ ક્રિયોદ્ધાર કરી શિથિલતાને દૂર કરી. અને તે સૌ કોઈને માન્ય બની. તો તિથિના વિષયમાં પણ યતિઓના કાળમાં શાસ્ત્રમર્યાદાને નેવે મૂકી થયેલી હેરાફેરીને સુધારી અસત્યનો ત્યાગ કરી સત્યનો આદર કરવામાં શું તકલીફ છે? અશઠ, સંવિગ્ન, ઘણા ગીતાર્થોને માન્ય અને શાસ્ત્રથી અનિષિદ્ધ એવી આચરણા જ શાસ્ત્રાજ્ઞા છે. તેનાથી વિપરીત તો અંધપરંપરા છે. સંવત્સરી પાંચમના બદલે ચોથે થઈ, તે સામાચારી. પણ સંવત્સરી ઉદયાત્ ચોથની જ કરવાની તે તો સિદ્ધાંત છે. તે યાદ રાખવાની જરૂર છે. - આચાર્યશ્રી પૃ. ૨૮ ઉપર લખે છે કે ....... “આ મેં એક સમાધાન સૂચવ્યું છે. શ્રીસંઘને અન્ય કોઈ સમાધાન યોગ્ય લાગે તો એ પણ અપનાવી શકાય છે. પણ એકતા થાય એ ખૂબ ઈચ્છનીય છે.” આની સામે એટલું જ કહેવાનું કે સાચી અને ટકાઉ એકતા શાસ્ત્રના પાયા ઉપર ઉભી હોય તો જ બને છે. અને તિથિના વિષયમાં શાસ્ત્રસાપેક્ષ સત્ય બેતિથિપક્ષમાં છે. તો એવા અવસરે સૌ કોઈ બેતિથિપક્ષની સત્યમાન્યતા પ્રમાણેની બુધવારની ઉદયાત્ ચોથને સ્વીકારી લે - એવી સમાધાનની ફોર્મ્યુલા સ્વીકારવા નમ્ર વિનંતી છે. બાકી સત્યપક્ષને સત્ય છોડવાનું કહેવું અને અસત્ય પકડી રાખવું તે લેશમાત્ર ઉચિત નથી. વળી ઉદયાત્ ચોથે બુધવારની ઉદયાત્ ચોથે સંવત્સરી કરવાથી ........ - સાચી આરાધના થશે. - આપણા મહાપુરુષોના વચનના દ્રોહનું પાપ પણ નહિ લાગે. ૨૭ For Private & Personal Use Only Jain Education International WWW.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy