SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આશાએ'. તે જ સુવિહિત પરંપરામાં થયેલા પૂ. આ. ભ. શ્રીદાનસૂરીશ્વરજી મ., પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. આદિ મહાપુરૂષોએ પણ ઉદયાત્ તિથિની આરાધના કરવા કરાવવા માટે જ પ્રયત્ન કર્યો હતો. તેઓશ્રીનાં લખાણો એ વાતની સાક્ષી પૂરે છે. મુનિશ્રી મહાબોધિ વિજયજી દ્વારા સંપાદિત વિવિધ પ્રશ્નોત્તર નૂતન આવૃત્તિ અને “સંભારણાં સૂરિ પ્રેમનાં ગ્રંથમાં આનાં સ્પષ્ટ પ્રમાણો મોજૂદ છે. આ રીતે આ. શ્રી અભયશેખરસૂરિજીએ પોતાની પુસ્તિકામાં છ સૂચક વાતો જણાવી સત્યનિરપેક્ષ એકતાના ગુણગાન ગાયા છે. પરંતુ તે સૂચક વાતોનું અર્થઘટન હકીકત વિરુદ્ધ અને શાસ્ત્ર નિરપેક્ષ છે. કારણ કે .... જૈન શાસનમાં શાસ્ત્રમતિ માન્ય છે. સ્વમતિ, પક્ષમતિ, બહુમતિ કે સર્વાનુમતિ વળી યાદ રહે કે પૂ. આ. શ્રી કાલિકસૂરિજી મહારાજાએ સંવત્સરી ભાદરવા સુદ૫ ના બદલે સુદ-૪ ચોથ ના રોજ કરી તે પ્રભુવચનના અનુસંધાનપૂર્વક કરી હતી. સંવત્સરી ચોથે થતાં ત્રણ ચોમાસીની આરાધના જે પૂનમે થતી હતી તે પણ ચૌદસે ચાલું થઈ. એને કારણે ચૌદશે થતાં પખિનાં ત્રણ પ્રતિક્રમણ ઓછાં પણ થયાં. પૂ. શ્રી કાલિકસૂરિ મહારાજાએ કરેલો આ ફેરફાર જિનવચનસાપેક્ષ-શાસ્ત્રવચનસાપેક્ષ હતો, સાથે સાથે પાંચમા આરાના અંત સુધીના હતા. અર્થાત્ હવે પાંચમા આરાના અંત સુધી સંવત્સરી ચોથે, ચોમાસી – પખિ ચૌદસે જ થવાની. કારણકે ભગવાને જે ફેરફાર થવાનો હતો, તે માત્ર પૂ. શ્રીકાલિક સૂરિ મ. ના હાથે થવાનો છે, તેમ કહીને ગયા છે. આથી હવે કોઈ તેમાં ફેરફાર કરી શકે નહિ. માટે જ પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મહારાજાએ (પ્રવચન પરીક્ષામાં) લખ્યું છે કે હવે પછી પાંચમા આરાના અંત સુધી તીર્થ ચોથમાં રહેશે, પાંચમમાં નહિ. (આ વિષયમાં વિશેષ પરિશિષ્ટ-૧૦ માં જેવું) વળી અન્યત્ર લખ્યું છે કે પાંચમનો જિનકલ્પની જેમ વિચ્છેદ થયો છે. તેથી હવે પછી કાયમ માટે સંવત્સરી ભાદરવા સુદ-૪ ના કરવાની રહેશે તથા પ્રવચન પરીક્ષામાં કહ્યું છે કે પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીમાં જ નિયત થયેલું છે. અને તેથી જ પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીએ પૂનમીયા ગચ્છ સામે તેના માટે અશક્ય શરત મૂકી પૂનમની પકિખ કરવાની વાત ઉડાડી દીધી હતી. અંતે યાદ રહે કે ભગવાને બતાવેલી મૈત્રીભાવનામાં સર્વ જીવોના હિતની ભાવના ૨૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy