SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનકવાસી, અચલગચ્છવાળા અને આપણા શ્વેતાંબરોની પર્વતિથિની આરાધના એક દિવસે આવે ! જો આપણા વડીલ પૂ. આ. ભ. શ્રી સિદ્ધિ સૂર મહારાજ, પૂ.આ.ભ. શ્રી લબ્ધિસૂરિ મહારાજા, પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂ. મહારાજા આદિ મહાપુરુષોને તમોએ માનેલી આભાસી, પક્ષીય એકતા જ ઈષ્ટ હતી તો ૧૯૯૨ માં શા માટે વર્ષોથી ચાલી આવતી આચરણા બદલી ? અસત્યમાંથી સત્ય તરફ આવતાં એકતા હણાઈ, તો પણ એવો નિર્ણય શા માટે કર્યો હશે? એનો જવાબ આપશો. આટલી વિચારણાથી સ્પષ્ટ થઈ જાય છે કે પંચાંગગત પર્વોપર્વતિથિઓની આરાધના ‘ઉદયમ્મિ ના નિયમાનુસારે જ કરવાની છે. તિથિઓની ક્ષય-વૃદ્ધિ આવે તો પ્રઘોષનો ઉપયોગ કરી આરાધનાદિન નક્કી કરવાનો છે. આ. અભયશેખરસૂરિજીએ પોતાની પુસ્તિકાના પૃ.૭ ઉપર શ્રીકાલિકસૂરિ મહારાજાએ સંવત્સરી પાંચમના બદલે ચોથની કરી, તે એકતા માટે કરી હતી, એમ જણાવી પોતાની આભાસિક એકતાની પુષ્ટિ કરવા તÁ હકીક્ત વિરુદ્ધ વાતો રજૂ કરી છે. “ભગવાન મહાવીર પરમાત્માએ કહ્યું હતું કે ... આગળ ઉપર શ્રીકાલિકસૂરિ મહારાજ થશે, તે સંવત્સરી પાંચમના બદલે ચોથની પ્રવર્તાવશે” – આ પ્રભુવચનના અનુસંધાનપૂર્વક જ શ્રીકાલિકસૂરિજી મહારાજાએ સંવત્સરી ચોથે પ્રવર્તાવી છે, નહિ કે એકતા માટે. (આ વાત દીપોત્સવ કલ્પમાં છે. જે અમે પરિશિષ્ટ -૧૦ માં જણાવી છે) વળી જે એકતા માટે જ ચોથ રાખી હતી, તો રાજાએ સંવત્સરી છઠે કરવા વિનંતી કરી હતી ત્યારે તેમાં પણ એકતા અને કાયમ માટે પાંચમ જાળવી શકાતી હોવા છતાં છઠ કેમ ન કરી, સ્પષ્ટ વાત છે, સંવત્સરી છઠે કરવામાં પ્રભુવચનનું સમર્થન નહોતું. તેથી જ પ્રભુવચનના અનુસંધાનપૂર્વક ચોથની સંવત્સરી કરી. અને પૂ. આર્યકાલિકસૂરિ. મહારાજાએ સંઘમાં ચાલતો તિથિભેદ નિવારવા અને એકતા સાધવા માટે સંવત્સરી પરાવર્તન કર્યું હતું, એવા કોઈ ઉલ્લેખ કે આધાર આ. શ્રી. અભયશેખરસૂરિજી પાસે છે ખરો ? સૈદ્ધાંતિક સંવત્સરી પાંચમની હતી, તેના સ્થાને ચોથની કરી તે સામાચારી, પરંતુ તેમાં પ્રભુવચનનું અને પ્રભુના જ્ઞાનનું પ્રતિબિંબ હોવાના કારણે ચોથની સંવત્સરી સિદ્ધાંત બની જાય છે. અને તે પાંચમા આરાના અંત સુધી રહેશે. ૨૧ For Private & Personal Use Only Jain Education International WWW.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy