SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રીએ પૃ.૮ ઉપર પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીને પણ પોતાની તરફેણમાં ઉભા કરવાનો (અદ્ભૂત = પાપમય) પ્રયત્ન કર્યો છે. લેખક આચાર્યશ્રીને પોતે લખ્યા મુજબ એકબાજુ કુમારપાળ મહારાજે પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીનું નવાંગી ગુરુપુજન કરેલું તે માન્ય નથી. કારણ કે તે વાતો કથાવાર્તામાં આવે છે, એટલે સિદ્ધાંત તરીકે આગળ ન થાય. અને બીજી બાજુ કથાવાર્તામાં એ જ પૂ. કલિકાલસર્વજ્ઞશ્રીએ પુનમિયા ગચ્છ સામે મૂકેલો પ્રસ્તાવ યાદ કરી પોતાના એકતાના ગાનને વેગીલું કરવામાં ખૂબ રસ પડી ગયો છે. દષ્ટાંત એ સિદ્ધાંત નથી' એમ કહી નવાંગી ગુરૂપૂજનને ઉડાવવા મથનારા હવે દષ્ટાંતના આધારે જ પોતાનો માનેલો એકતાનો સિદ્ધાંત પુષ્ટ કરવા મથી રહ્યા છે, એ રમૂજી બાબત છે. વળી તે વિષયમાં કરેલી વાતો પણ હકીક્ત વિરુદ્ધ છે. કારણ કે જો પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીને પૂનમીયા ગચ્છ સાથે સમાધાન કરી એકતા જ સાધવી હતી. તો પૂનમીયા ગચ્છ સાધુ ભગવંતોએ કરેલી પ્રતિષ્ઠા સ્વીકારી. તે શરત સામે શા માટે મૂકી ? વળી ૫. કલિકાલ સર્વજ્ઞશ્રીએ પૂનમીયા ગચ્છ સામે શરત મૂકી તેનાથી સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે કે પૂ. કલિકાલસર્વજ્ઞશ્રી પુનમની પાખી કરવા તૈયાર જ નહોતા. શરત મૂકવાથી વાત ટળી જવાની હતી. માટે શરત મૂકી. જો સમાધાન કરી એકતા જ કરવી હતી, તો શરત શા માટે મૂકી? - આચાર્યશ્રીએ પૃ. ૧૭ -૧૮ ઉપર પ્રઘોષના અર્થ માટે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં વાતને આડા પાડા ઉપર ચઢાવી છે. પ્રઘોષનો અર્થ અને તેની સત્યતા માટેની ચર્ચા પૂર્વે ઘણી થઈ ગઈ છે. સાચો અર્થ કયો, તે તેમના પૂર્વજો વારંવાર જણાવી ગયા છે. છતાં પ્રઘોષનો સાચો અર્થ બાતવવામાં આચાર્યશ્રી ખચકાટ અનુભવે છે. તે જ બતાવે છે કે હૃદયમાં શલ્ય છે, જ્યાં શલ્ય હોય ત્યાં ભાવસત્ય ક્યારે પણ ન હોય. આભાસિક ૨૨ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy