SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સર્યોદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ તરીકે માનવી' (સાક્ષીપાઠ આગળ આપેલ છે.) આ વિષયમાં આ. શ્રી. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજા પણ પ્રકાશ પાથરતાં કહે છે કે .. એવી રીતે વૃદ્ધિમાં પણ માત્ર તિથિનો ભોગવટો વધી જવાથી તે તે તિથિઓ બે સૂર્યોદયને ફરસવાવાળી થાય છે. પણ પખવાડીયામાં કોઈપણ સોલમી તિથિ આવતી નથી. પૂર્વ સૂર્યોદયવાળી તિથિ કરતાં પર સૂર્યોદયવાળી (પછીના સૂર્યોદયવાળી) તિથિ બલવતી ગણાવવાથી જ આગલી (પછીની) તિથિએ અનુષ્ઠાન થાય છે. સંપૂર્ણતા પણ તિથિની ઉત્તર દિવસે જ છે.” (સિદ્ધચક્ર વર્ષ-૪, અંક-૪, ટાઈટલ પેજ-૩) - તત્ત્વતરંગિણિકારશ્રી પણ તિથિની વૃદ્ધિના વિષયમાં કહે છે કે “= ના ગંનિ ટુ લિવરે સમપ પતિ ’ - જે દિવસે જે તિથિ સામાપ્ત થતી હોય તે જ દિવસે તે તિથિ લેવી પ્રમાણ છે.” (પરિશિષ્ટ-૪ માં વિશેષ જોવા ભલામણ) આમ તિથિઓની ક્ષય-વૃદ્ધિ થતી હોવાના કારણે જ પૂ. ઉમાસ્વાતિજી મહારાજાએ અપવાદસૂત્રરૂપ “યે પૂર્વો.” પ્રઘોષ આપ્યો છે. તે સર્વપ્રસિદ્ધ હકીકત હોવા છતાં જૈનાગમોમાં વર્ણવાયેલ અને આજે વિચ્છેદ પામેલ પંચાંગ પદ્ધતિને આગળ કરી સર્વ જૈનાચાર્ય માન્ય પંચાંગમાં બતાવેલ સર્વ પર્વાપર્વ તિથિની ક્ષય-વૃદ્ધિને યથાવત્ ન માનવી અને આપણે ત્યાં તિથિનો ક્ષય જ થાય, વૃદ્ધિ તો ક્યારેય થતી જ નથી” વગેરે વગેરે અપપ્રચાર કરી અસત્યને ભાવસત્ય કહેવું અને સત્યને ભાવથી અસત્ય કહેવું કેટલું ઉચિત છે? તે વાચકો સ્વયં વિચારે. ભાવસત્ય જાળવવા માટે અમારી પણ ફરજ બને છે કે મુગ્ધ હરણીયાઓને શીકારી તરફ ન જવા દેવા. પ્રશ્ન : “ક્ષયે પૂર્વો.'... પ્રઘોષના અર્થમાં મતભેદ છે ને ? એકતિથિપક્ષવાળા અલગ અર્થ કરે છે અને બે તિથિપક્ષવાળા અલગ કરે છે. ? તો પછી તમારો કરેલો અર્થ અમે કેવી રીતે માની શકીએ ? ઉત્તર : “યે પૂર્વો’ પ્રઘોષનો અર્થ આ. શ્રી. સાગરાનંદસૂરિજી મહારાજાએ તથા દિવ્યદર્શન માસિકે, બે તિથિપક્ષે કરેલા અર્થ પ્રમાણે જ પૂર્વે અર્થ કરેલા છે. અને એ જ પ્રઘોષના અર્થ અનુસારે સૌ કોઈ પૂર્વે પર્વતિથિઓની આરાધના કરી ચૂક્યા છે. ૧૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy