SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેથી સુ. ૧૨ નો ક્ષય કરવો પડે છે. તેના યોગે કેટલી તિથિઓમાં ઉદયર્મોિ અને “ પૂર્વા.' ના નિયમનું ઉલ્લંઘન કરવું પડે છે તે વિચારશો, તો ભાવસત્યની વ્યાખ્યા સમજાઈ જશે. પ્રશ્ન : તિથિની વૃદ્ધિ કેવી રીતે થાય ? ઉત્તર : જે તિથિ બે સૂર્યોદયને સ્પર્શે છે, તે તિથિની વૃદ્ધિ થાય છે. અર્થાત્ દા. ત. ગુરુવારના સૂર્યોદય પૂર્વે પાંચમનો પ્રારંભ થયો અને શુક્રવારના સૂર્યોદય બાદ પાંચમની સમાપ્તિ થાય, ત્યારે પાંચમની વૃદ્ધિ ગણાય છે. (યાદ રહે કે તિથિ લાંબામાં લાંબી ર૭ કલાકની હોય છે.) પ્રશ્ન : પર્વતિથિ વૃદ્ધિ પામે તો, તેની આરાધના ક્યા દિવસે કરવાની ? બંને દિવસે કરવાની કે એક જ દિવસે કરવાની ? “ઉદયમ્મિ ના નિયમાનુસાર તો બંને દિવસની પ્રમાણ કરવી જોઈએ ને ? જો બીજા દિવસે ગ્રહણ કરવાની હોય તો, બીજા દિવસે તો થોડા સમય માટે જ સૂર્યોદયને સ્પર્શી છે, જ્યારે (આગળના) પ્રથમ દિવસે તો તે જ તિથિનો પૂર્ણતયા ભોગવટો છે, તો પછી બીજા દિવસે જ આરાધના શા માટે કરવાની ? ઉત્તર : તિથિની વૃદ્ધિ થાય તો બે સૂર્યોદયને તિથિ સ્પર્શતી હોવાથી ઉદયશ્મિ” ના નિયમાનુસાર બંને દિવસ ગ્રહણ કરવા પડે. પરંતુ તિથિની આરાધના તો એક જ દિવસ કરવાની હોય છે. તેથી જ તિથિની વૃદ્ધિ થાય ત્યારે આરાધનાદિન નક્કી કરવા પૂ. વાચક્ઝવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ અપવાદસૂત્ર આપ્યું કે .. વૃદ્ધ છે તથોત્તર' - તિથિની વૃદ્ધિ થાય ત્યારે ઉત્તરની (પહેલી છોડીને પછીની બીજી) તિથિની આરાધના કરવી. ‘વૃદ્ધિ તિથિના બીજા દિવસે સૂર્યોદય વખતે થોડી જ તિથિ હોય છે અને પ્રથમ દિવસે તો આખા દિવસનો ભોગવટો હોય છે, તો બીજો દિવસ આરાધના માટે શા માટે ગ્રહણ કરવાનો ?' – આ શંકાનું સમાધાન પૂર્વે કર્યું જ છે. શ્રાદ્ધવિધિકાર પૂ.આ.ભ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ અન્યદર્શનીઓનું સુંદર કથન પણ જૈન આગમસમુદ્રનો અંશ છે- આ ન્યાય પારાશરસ્કૃતિની સાક્ષી આપતાં) કહ્યું છે કે ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy