SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : તિથિનો ક્ષય કેવી રીતે થાય ? શું તિથિનો ક્ષય થાય, ત્યારે તિથિ નાશ પામે છે ? ઉત્તર : ચન્દ્રની ગતિ અનિયમિત છે. તેના યોગે તિથિનો ક્ષય થાય છે. જે તિથિ બે દિવસ પૈકી એકપણ દિવસના સૂયોદયને સ્પર્શતી નથી, તેનો ‘ક્ષય' કહેવાય છે. તિથિ નાનામાં નાની આશરે ૨૧ કલાકની હોય છે. જેમકે વૈ. વ. ૭ ના રોજ સવારે સૂર્યોદય બાદ વદ-૮ નો પ્રારંભ થયો અને બીજા દિવસના સૂર્યોદય પર્વે વદ-૮ ની સમાપ્તિ થઈ ગઈ. તિથિ વદ-૮: એકપણ સૂર્યોદયને સ્પર્શી નથી. તેથી તેનો ક્ષય' છે, એમ બોલાય છે. પ્રશ્ન : સૂર્યોદય સમયે તિથિ નથી, તો તે તિથિની આરાધના ક્યારે કરવાની ? ‘ઉદયાત્ર તિથિને જ પ્રમાણ કરવાની આ નિયમ પ્રમાણે તો સૂર્યોદયે જે તિથિ હોય તે જ તિથિની આરાધના કરવાની છે ને ? ઉત્તર : જ્યારે તિથિનો ક્ષય હોય, ત્યારે તિથિ બે દિવસના સૂર્યોદય પૈકી એકપણ સૂર્યોદયને સ્પર્શતી નથી. અને આરાધના તો તે તે તિથિ સાથે નિયમ કર્તવ્યરૂપે જોડાયેલી જ હોય છે, તો તે આરાધના નક્કી કરી આપવા પૂ. વાચક પ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ ક્ષયે પૂર્વાતિથિ: ” અપવાદ સૂત્ર આપ્યું અર્થાત્ ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ ગ્રહણ કરવી. એટલે પૂર્વના દિવસે એ તિથિ સંબંધી આરાધના કરવી. પ્રશ્ન : તમે જણાવેલા ઉપર પ્રમાણેના અપવાદ સૂત્રથી તો એ નક્કી થયું કે તિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિમાં આરાધના કરવાની. પરંતુ પૂર્વતિથિના દિવસે તો ઉદયાત્ તિથિ (દા.ત.) સાતમ છે. આઠમ તો ઉદયાત્ તિથિ નથી. તો પછી ‘ઉદય સમયે જે તિથિ હોય તે પ્રમાણ' - આ નિયમનું ઉલ્લંઘન નહિ થાય ? અને આઠમની સાચી આરાધના કેવી રીતે થશે ? ઉત્તર : તમારી આ જિજ્ઞાસાનો ઉત્તર પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજાના શબ્દોમાં જ જોઈએ .. “ધ્યાનમાં રાખવું કે પદ્ધિમાં (પંદર દિવસમાં) એકમ વગેરે તિથિઓ વધી અગર ઘટી એટલે તૂરી અગર બેવડી થઈ પણ તે તમામ તિથિઓ પંદરને અંગે જ છે. એટલે એમ કહેવું જોઈએ કે પાક્ષિક અંગે માત્ર તિથિઓનો ભોગવટો જતો નથી. ભોગવટા તરકે તો એકપક્ષથી બીજાપક્ષની વચ્ચે પંદર તિથિઓ આવી જાય છે. અર્થાત્ જે ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy