SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર : ભગવન્! બીજ પ્રમુખ પાંચ (બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદસ) તિથિમાં કરેલ ધર્મ અનુષ્ઠાનનું શું ફળ હોય ? હે ગૌતમ! બહુફળ હોય. કારણકે એ તિથિઓમાં જીવો પરભવનું આયુષ્ય ઉપાર્જન કરે છે. તે કારણથી તપ, ઉપધાન આદિ ધર્માનુષ્ઠાન કરવા, જેથી શુભ આયુષ્ય ઉપાર્જન થાય. ઉપરોક્ત શાસ્ત્રવચનથી સ્પષ્ટ ફલિત થાય છે કે. સૂર્યોદય વખતે જે તિથિ હોય, તે દિવસે તે જ તિથિ ગણવી. - ચાતુમાર્સિક, વાર્ષિક, પાક્ષિક, પંચમી, આદિ પર્વોમાં તે જ તિથિ પ્રમાણ કરવી કે જે સૂર્યોદય વખતે હોય, અન્ય નહિ. - અન્યદર્શનના શાસ્ત્રો પણ ઉદય સમયની તિથિને જ પ્રમાણ કરે છે. જે તિથિ સૂર્યોદયને સ્પર્શતી ન હોય અને જે તિથિ બે સૂર્યોદયને સ્પર્શતી હોય ત્યારે શું કરવું? “ ખ્રિ' -- ના ઉત્સર્ગસૂત્રની સામે ‘ક્ષયે પૂર્વા. અપવાદ સૂત્ર આપ્યું. અર્થાત્ ક્ષયમાં પૂર્વતિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ ગ્રહણ કરવી. તિથિની ક્ષય-વૃદ્ધિ થતી હોય તો જ શ્રીઉમાસ્વાતિજી મહારાજાએ ‘ક્ષયે પૂર્વી.” પ્રઘોષને આપ્યો હશે ને? આવી સ્થિતિમાં “પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન થાય', તેવું કહેવું કેટલું યોગ્ય છે ? શાસ્ત્રકાર પરમર્ષિએ ‘ક્ષયે પૂર્વી.' પ્રઘોષ આપ્યો તે સર્વ પર્વોપર્વ તિથિઓ માટે લાગું પડે. શાસ્ત્રોમાં ક્યાંય પણ તે પ્રઘોષ માત્ર પર્વતિથિ માટે જ છે એવું કહ્યું નથી અને એકતિથિપક્ષ એ પ્રઘોષ સામાન્યતિથિની ક્ષય-વૃદ્ધિમાં તો અપનાવે છે, પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિમાં મુલ અપનાવતો જ નથી. આ ઉલટી નીતિ કેમ ? કલ્યાણક દિવસો પણ પર્વતિથિરૂપ છે. પૂ. ઉમાસ્વામિજી મહારાજાએ વીર નિર્વાણકલ્યાણક (દિવાળા)ની આરાધના લોક અનુસાર કરવા સૂચન કર્યું છે. આ તેઓશ્રીની વિશિષ્ટ આજ્ઞા છે. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy