SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાંગને વારંવાર કેમ યાદ કરાવે છે ? ૫) વળી વિચ્છેદ પામેલા જૈનપંચાંગનો પુનઃ ઉદ્ધાર આજ સુધીમાં થઈ ગયેલા સમર્થ જ્ઞાનીઓ અને દૈવી સહાયવાળા મહાપુરુષો પણ કરી શક્યા નથી, તે મનોરથ તેમને થાય છે, તે ખરેખર હાસ્યાસ્પદ નથી ? ૨૭ પેજની નનામી પત્રિકા ‘તિથિ વિવાદ અને સરળ સમજણ' માં આવી હાસ્યાસ્પદ મનોરથમાળા(!) એના લેખકશ્રીએ કરી છે. સ્યાદ્વાદ એટલે અપેક્ષાવાદ. અપેક્ષા એનું નામ કે જે યુક્તિથી સિદ્ધ થાય અને શાસ્ત્રથી અબાધિત નિર્ણય સુધી લઈ આવે. લોકોને કુતર્કો કરી ગુંચવાળામાં મૂકવા તે સ્યાદ્વાદ નથી, પણ સ્વાર્થવાદ છે, પક્ષવાદ છે. ૬) ઉપરોક્ત શાસ્ત્રપાઠમાં બે બાબતોની સુંદર સ્પષ્ટતા કરી છે. (૧) અન્ય દર્શનીઓની સારી વાત પણ વસ્તુતઃ આપણા આગમસમુદ્રના અંશો હોવાથી પ્રમાણભૂત છે. તેથી લૌકિક-પંચાંગ પણ વસ્તુતઃ આગમસમુદ્રના અંશભૂત હોવાના કારણે પ્રમાણભૂત છે, એમ ઉપરોક્ત શાસ્ત્રવચન ફરમાવે (૨) આપણા આગમના મૂળવાળું લૌકિક-પંચાંગ છે'. ઈત્યાકારક અનુસંધાન પૂર્વક જ વર્તમાનકાલીન પૂ. ગીતાર્થ આચાર્યદેવો લૌકિક પંચાંગને પ્રમાણભૂત માને છે. * એકતિથિના નામે ઓળખાતા પક્ષની પરસ્પરવિરુદ્ધ અને હકીકતવિરુદ્ધ કેટલીક વાતો : * લૌકિક પંચાંગમાં બતાવેલી ગમે તે માસની વૃદ્ધિ માનવાની. બે ભાદરવા હોય તો બીજા ભાદરવામાં સંવત્સરી કરવાની. પરંતુ એમાં પર્વતિથિની વૃદ્ધિ બતાવેલી હોય તો પણ, તે નહિ જ માનવાની. લૌકિક પંચાંગને સ્વીકારવાનું અને સાથે સાથે તેને દ્રવ્યથી અસત્ય કહેવાનું. * લૌકિક પંચાંગગત તિથિ-વ્યવસ્થાને અસત્ય કહેવાની અને એમાં સૂચિત તિથિઓમાં સંસ્કાર કરવાની વાત કરવાની. * ભાવથી સત્ય લાવવા સંસ્કાર કરવાનો અને સંસ્કાર કરતાં પૂર્વે લૌકિક પંચાંગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy