SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧૦) પૂજ્ય શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજે કરેલી સંવત્સરી - ચોમાસીની પરાવૃત્તિ - પરાવર્તન આજ્ઞાનુસારી – જિનવચનાનુસારી હતી. (પૂજ્ય કાલિકસૂરિ મહારાજાએ સંવત્સરી ભાદરવા સુદ – ૫ ના સ્થાને ભાદરવા સુદ - ચોથ ના રોજ કરી, તેમાં આજ્ઞાનુસારિતા હતી, તે જણાવતાં પૂ. આ. શ્રીસાગરાનંદસૂરિ મ. શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના વર્ષ-૪ ના અંક – ૧૫ માં પૃ. ૩૪૯ ઉપર ચોમાસી અને સંવત્સરીની તિથિની પરાવૃત્તિનું શાસ્ત્રોક્તપણું- એવા હેડીંગથી નીચે પ્રમાણે જણાવે છે-) (૧) “સંવત્સરી અને ચોમાસીમાં પણ જે તિથિનું પરાવર્તન છે, તે પણ સાંવત્સરિકને અંગે શ્રુતકેવલી ભદ્રબાહુવામીજીએ ‘મારગોવિ છે ' એવી રીતે ફરમાવેલી હોવાથી સાંવત્સરિક તિથિનું પરાવર્તન યુગપધાન શ્રી કાલિકાચાર્યું કર્યું. એટલે કે યુગપ્રધાન શ્રી કાલિકાચાર્યું કરેલું સાંવત્સરિક તિથિનું પરાવર્તન માત્ર પોતાની કલ્પના કે રાજાની વિનતિને અંગે જ ન હતું, પણ શ્રુતકેવલી ભગવાન્ ભદ્રબાહુસ્વામીજીના ઉપર જણાવેલા વચનને આધારે પણ હતું. “અને એજ કારણથી રાજા સાલિવાહનની પહેલી જે વિનતિ ભાદરવા સુદિ છઠને દિવસે સંવત્સરી કરવા માટે હતી, તેનો નો પૂરૂ તં રળી સવાયાવિત્ત, અર્થાત્ ભાદરવા સુદિ પાંચમની રાત સંવત્સરી માટે ઓળંગવી નહિ એ શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીજીના વચનને અનુસરીને નિષેધ કર્યો, અર્થાત્ સામાન્યપણે શ્રીનિશીથ સૂત્ર આદિકના અભિપ્રાયે ભાદરવા સુદ પાંચમનો જ દિવસ પર્વ તરીકે છે અને ભાદરવા સુદિ ચોથનો કે ભાદરવા સુદિ છઠ્ઠ એ બંને તિથિના દિવસો અપર્વ તરીકે હોવાથી તેમાં સંવત્સરી ન કહ્યું એમ નિશ્ચિત છતાં ભાદરવા સુદ ચોથનો દિવસ અપર્વ છતાં પણ અંદરની મુદતનો હોવાથી યુગપ્રધાનશ્રી કાલકાચાર્ય મહારાજે પ્રવર્તાવ્યો, પણ ભાદરવા સુદિ છઠના અપર્વરૂપ દિવસે સંવત્સરી કરવાની વિનતિ કબૂલ કરી નહિ, કારણ કે તેમ કરવામાં શ્રી પર્યુષણાકલ્પના નો પૂરૂં પાઠનું ખંડન થતું હતું. અર્થાત્ આ ઉપરથી એમ નક્કી થાય છે કે આચરણા કરનારે પણ શાસ્ત્રના વચનો ઉપર ધ્યાન આપી આત્માને નિર્મળ કરનાર જ આચરણા કરવી જોઈએ. અને તેવી જ આચરણા સુવિહિતોને આચરવા લાયક ગણાય, અને સંવત્સરીને માટે તિથિપરાવર્તનની કરેલી આચરણા શાસ્ત્ર અનુકૂળ ૯૦ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy