SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પરંપરામાં આવેલો આચાર છે એમ ધારી માની લેવું નહિ, પણ જે આચાર આગમરૂપી આજ્ઞાને અનુસરીને હોય અને સંયમની શુદ્ધિ કરનાર હોવા સાથે અપ્રમાદની વૃદ્ધિ કરી નિર્મળતા કરનાર હોય તે જ જીત આચારને આજ્ઞા જેવો ધર્મિષ્ઠોએ માનવો.” આચાર્ય મહારાજશ્રી અભયદેવસૂરિજી તો આગમ-અષ્ટોત્તરીમાં સ્પષ્ટ શબ્દથી જણાવે છે કે તે જ જીત આચાર હોય કે જે બળ અને બુદ્ધિની ખામીના બચાવને માટે જ ઉપયોગી હોય, અને તેથી જ તેઓશ્રી જણાવે છે કે ગુપ્તિ, સમિતિ, પડિલેહણ, સંવત્સરપર્વ, ચાતુર્માસિક પર્વ સિવાયની તિથિનું પલટવું વગેરેમાં આચરણા હોય જ નહિ.” (૫) યોગવિશિકા-ટીકા, ગુરુતત્ત્વવિનિશ્ચય, ભગવતીસૂત્રની વૃત્તિ, પ્રવચન પરીક્ષા, તત્વતરંગિણી આદિ ગ્રંથોમાં પણ જીત આચરણાનું સ્વરૂપ ઉપર પ્રમાણે જ સ્પષ્ટ કર્યું છે. છત વ્યવહારના લક્ષણની વિશેષ જાણકારી મેળવવી હોય, તેણે જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વારાધન’ પુસ્તકમાં તમામ ગ્રંથોના સંગ્રહિત પાઠો જોવા ભલામણ. Jain Education International ૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy