SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ जयणा खलु आणाए, आयरणावि अविरूद्धगा आणा । णासंविग्गायरणा, जं असयालंबणकया सा ॥१४५॥ ભાવાર્થ : નિશ્ચયથી યતના આજ્ઞાથી થાય છે. (પાંચ વ્યવહારોમાં જેની ગણત્રી થાય છે, તે જીતને પણ માન્ય કરવાની જિનાજ્ઞા છે. પરંતુ કઈ છત = આચરણા માન્ય કરવાની ? તો કહે છે કે) આચરણા પણ આજ્ઞાથી વિરુદ્ધ ન હોય તો જ માન્ય છે. (પરંતુ) અસ આલંબનથી અસંવિગ્નોએ આચરેલી આચરણાને માન્ય કરવાની જિનાજ્ઞા નથી. (જિનાજ્ઞાથી અવિરુદ્ધ આચારણાનું લક્ષણ ઉપર જણાવેલી ‘મન’ વાળી ગાથામાં દર્શાવવામાં આવ્યું છે, તે છે.) (૪) આચાર્ય શ્રી સાગરાનંદ સૂરિજીએ પણ જીતની આજ્ઞાનુસારિતાને અને શ્રીધર્મરત્નપ્રકરણકારના આશયને શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના વર્ષ-૪, અંક-૧૫ માં પૃ. ૩૪૮ ઉપર નીચે પ્રમાણે જણાવી છે. કદાચ શંકા થાય કે જીત અને આજ્ઞા, એ બે વસ્તુ જણાવવાની શી જરૂર ? કેમકે એકલા જીત-આચારને પણ સર્વ શાસનના પ્રેમીઓએ જિનેશ્વર મહારાજ આદિના વચનરૂપી આશાની જેટલી માન્યતા રાખવાની હોય છે. તેટલી જ માન્યતા છત આચારની રાખવાની હોય છે. તો અહીં પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં છત અને આજ્ઞા એ બંને જણાવવાનું કારણ શું? આવી રીતે થતી શંકાના સમાધાનમાં જણાવવાનું કે કેટલાક અણસમજુ મનુષ્યો એક આચાર્યું કર્યું તે વૃત્ત, બીજી પાટવાળા આચાર્યું કર્યું તે અનુવૃત્ત અને ત્રીજા પાટવાળા આચાર્ય કર્યું તેને પ્રવૃત્ત કહીને માત્ર તેટલી પરંપરાથી જ પ્રવર્તેલા આચારને છતકલ્પ માની લે છે, પણ તેવો જીવકલ્પ આજ્ઞાને અનુસરીને હોતો નથી, તો તેવા છતકલ્મને માનવાની શાસ્ત્રકારો સાફ સાફ મનાઈ કરે છે”. “અને તેથી જ શાસ્ત્રકારો આદરવા લાયક પરંપરાના આચારરૂપી જીતને જણાવતાં સાફ શબ્દોમાં જણાવે છે કે જે પરંપરાના આચારરૂપી જીતઆચારથી આત્માની અથવા આચારની અશુદ્ધિ થાય, તેમજ શિથિલાચારી અને પ્રમાદીઓએ ઘણાઓએ મળીને પણ આચરેલું હોય અને તે પરંપરાથી આવ્યું હોય તો પણ તે છત આચરવા લાયક નથી અને આજ કારણથી શ્રી ધર્મરત્ન પ્રકરણમાં આચાર્ય મહારાજ શ્રી શાંતિસૂરિજી જણાવે છે કે ગચ્છ કે દિલ્બધનાં નામે શ્રાવકો ઉપર મમત્વ કરવું, ચૈત્યમાં વાસ કરવો, શરીર અને વસ્ત્ર આદિકની શુશ્રુષા કરવી, વસતિ (ઉપાશ્રય) વગેરેની માલિકી માટે દસ્તાવેજો કરાવવા વગેરે આચારો આત્માને અશુદ્ધ કરનાર અને સાવદ્ય હોવાથી કોઈપણ ધાર્મિક મનુષ્યને તે આદરવા લાયક નથી. અર્થાત્ શ્રી શાંતિસૂરિજીના ફરમાન મુજબ માત્ર ૮૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy