SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [३४७ वृत्तिः-'उद्दिश्य' च' साध्वादीन्'निर्ग्रन्थशाक्यादीन् ओमात्यये'दुर्भिक्षापगमे भिक्षावतरणं' प्राभृतकादीनां यत् (तत्) उद्दिष्टौदेशिकं, 'यच्चोद्धरित'मोदनादि 'मिश्रयित्वा' व्यञ्जनादिना वितरणं तत्कृतौद्देशिकं, यच्च तप्त्वा' गुडादिना मोदकचूरीबन्धवितरणं 'तत्कम्मौद्देशिकमि'ति, एवं चेतसि निधाय सामान्येनोपसंहरति-औद्देशिकं तत्, तुशब्दः स्वगतभेदविशेषणार्थं इति गाथार्थः ।। ७४४ ।। [દેશિકના ઓઘ અને વિભાગ એમ બે ભેદ છે. પોતાના માટે ભાત વગેરે પકાવવાની શરૂઆત કરે ત્યારે તેમાં ભિક્ષા માટે જે કોઈ આવે તેને ભિક્ષા આપવા માટે “આટલું પોતાના માટે અને આટલું ભિક્ષા આપવા માટે” એવો વિભાગ કર્યા વિના ભાત વગેરે અધિક નાખે તે ઓઘઔદેશિક છે. વિવાહ વગેરે પ્રસંગે ભોજનાદિ કર્યા પછી વધેલા આહારાદિને દાન આપવાની બુદ્ધિથી અલગ મૂકી રાખવામાં આવે તે વિભાગઔદ્દેશિક છે. ઓઘદેશિકમાં ઓઘથી=વિભાગ કર્યા વિના અધિક નાખવામાં આવતું હોવાથી તેનું “ઘ' એવું નામ સાર્થક છે. વિભાગઔશિકમાં વધેલા આહારાદિનો આટલું દાન માટે એમ વિભાગ કરવામાં આવતો હોવાથી તેનું ‘વિભાગ” એવું નામ સાર્થક છે. વિભાગદેશિકના ઉદિષ્ટ, કૃત અને કર્મ એમ ત્રણ ભેદ છે. વિવાહાદિના પ્રસંગે વધેલા ભોજનને દાન આપવાના ઉદ્દેશથી (= સંકલ્પથી) તેમાં કોઈ જાતનો સંસ્કાર કર્યા વિના જેવા હોય તેવા જ સ્વરૂપમાં મૂકી રાખવામાં આવે તે ઉદિષ્ટવિભાગઔદેશિક છે. વધેલા ભાત આદિમાં દહીં વગેરે નાખીને આપવામાં આવે તે કૃતવિભાગઔદેશિક છે. મોદકચૂર્ણ આદિને અગ્નિમાં તપાવીને ગોળ વગેરે ભેળવીને મોદક આદિ બનાવીને આપવામાં આવે તે કર્મવિભાગઔદેશિક છે. કૃતવિભાગઔદેશિકમાં અગ્નિ આદિના આરંભ વિના અચિત્ત વસ્તુથી મૂળવતુમાં અવસ્થાંતર કરવામાં આવે છે, જયારે કર્મવિભાગઔદેશિકમાં અગ્નિ આદિના આરંભથી કે સચિત્ત વસ્તુનો પ્રક્ષેપ આદિ આરંભથી મૂળ વસ્તુમાં અવસ્થાંતર કરવામાં આવે છે. ઉદિષ્ટવિભાગઔદેશિકમાં આટલું દાન માટે છે એવો માત્ર ઉદ્દેશ-સંકલ્પ કરવામાં આવ્યો હોવાથી તેનું “ઉદિષ્ટ' એવું નામ સાર્થક છે. કૃતવિભાગઔદેશિકમાં અવસ્થાતર (ભિન્ન અવસ્થા) કર્યું હોવાથી તેનું કૃત' (-અવસ્થાંતર કરેલું) એવું નામ સાર્થક છે. કર્મવિભાગઔદેશિકમાં અગ્નિ આદિનો આરંભ હોવાથી આધાકર્મરૂપ ઉદેશ હોવાથી તેનું ‘કર્મ' એવું નામ સાર્થક છે. ઉદિષ્ટ, કૃત અને કર્મ એ ત્રણ ભેદોના પ્રત્યેકના ઉદ્દેશ, સમુદેશ, આદેશ અને સમાદેશ એમ ચાર ભેદ છે. જે કોઈ (ગૃહસ્થ કે સાધુ-સંત) ભિક્ષા માટે આવે તે સર્વને આપવાનો સંકલ્પ તે ઉદ્દેશ. ૧. પ્રસ્તુત ગાથામાં પિંડનિયુક્તિ આદિ ગ્રંથોની અપેક્ષાએ થોડો ફેર હોવાથી દેશિકના બધા પેટા ભેદો સમજાવ્યા પછી આ ગાથાનો ભાવાર્થ સમજવામાં સરળતા રહે એ દૃષ્ટિએ અહીં ગાથાનો ભાવાર્થ લખતાં પહેલાં પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથોના આધારે કાઉંસમાં ઔદેશિકના બધા પેટા ભેદો જણાવ્યા છે. ૨. અથવપૂરકમાં પકાવવાની શરૂઆત કર્યા પછી પાછળથી ઉમેરવામાં આવે છે. ઓઘદેશિકમાં પકાવવાની શરૂઆત કરતી વખતે જ અધિક નાખવામાં આવે છે. આમ ઓઘદેશિકમાં અને અધ્યવપૂરકમાં ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy