SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ હરૂદ્દ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते “તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વિર, ઉપાધ્યાય અને ગણી એ ૧૩ પદોની આશાતના ત્યાગ, ભક્તિ બાહ્ય ભક્તિ, બહુમાન=આંતરિક માન અને પ્રશંસા એ ચાર પ્રકારે વિનય કરવો એ વિનયના ૧૩ x ૪ = પર ભેદ છે. કુલ એટલે અનેક ગણોનો (ગચ્છોનો) સમુદાય. ગણ એટલે એક આચાર્યનો ગચ્છ (સમુદાય). સ્થવિર એટલે સીદાતા સાધુઓને સ્થિર કરનાર. ગણી એટલે સાધુસમુદાયના અધિપતિ-આગેવાનબાકીના પદોનો અર્થ સુગમ છે.”) [૧૨૧૯ एअस्स उ संपाडण-हेडं तह हंदि वंदणाएवि । पूअणमाउच्चारण-मुववण्णं होइ जइणोऽवि ॥ १२२० ॥ __ वृत्तिः- 'एतस्यैव' द्रव्यस्तवस्य 'सम्पादनहेतोः' सम्पादनार्थं 'तथा हन्दी'त्युपप्रदर्शनं 'वन्दनायामपि' सूत्ररूपायां 'पूजनाधुच्चारणं' 'पूयणवत्तियाए' इत्यादि 'उपपन्नं भवति', ચાધ્યમિત્યર્થઃ, “યરપતિ' માથાર્થ: | ૨૨૨૦ || इहरा अणत्थगं तं, ण य तयणुच्चारणेण सा भणिआ । ता अभिसंधारणमो, संपाडणमिट्ठमेअस्स ॥ १२२१ ॥ वृत्तिः- 'इतरथा त्वनर्थकंतदु'च्चारणं, नचतदनुच्चारणेन सा' वन्दना भणिता' यतेः, तत्' तस्माद्'अभिसन्धारणेन' विशिष्टेच्छारूपेण' सम्पादनमिष्टमेतस्य'-द्रव्यस्तवस्येति गाथार्थः ॥ १२२१ ॥ કાયોત્સર્ગથી દ્રવ્યસ્તવ (રૂપ ઔપચારિક વિનય) જ કરવા માટે “અરિહંત ચેઈઆણે એ વંદનાસૂત્રમાં “પૂબળવત્તા' ઈત્યાદિ પદોથી પૂજા આદિનો ઉલ્લેખ છે. આથી સાધુને પણ (અનુમોદના આદિથી) દ્રવ્યસ્તવ સંગત છે. [૧૨૨૦] ‘પૂળવરિયાણ' વગેરે પદોથી પૂજન આદિનું ઉચ્ચારણ જો દ્રવ્યસ્તવ માટે ન હોય તો તે ઉચ્ચારણ નિરર્થક બને. પ્રશ્ન- ‘ પૂર્વત્તિયાણ' ઈત્યાદિ પદોનું ઉચ્ચારણ સાધુઓ ન કરે તો ઉચ્ચારણ નિરર્થક બનવાનો પ્રશ્ન ન રહે. ઉત્તર- આગમમાં ‘ પૂર્વત્તિયાણ' વગેરે પદોના ઉચ્ચારણ વિના વંદના કહી નથી, અર્થાત્ તે પદોના ઉચ્ચારણ વિના સાધુથી વંદના થઈ શકે નહિ. આથી કાયોત્સર્ગથી (દિસંધારણો =) પૂજનાદિની ભાવના રૂપ વિશિષ્ટ ઈચ્છા દ્વારા સાધુઓ દ્રવ્યસ્તવ કરે એ શાસ્ત્રસંમત છે. [૧૨૨૧] सक्खा उ कसिणसंजम-दव्वाभावेहिं णो अयं इट्ठो । गम्मइ तंतठिईए, भावपहाणा हि मुणउ त्ति ॥ १२२२ ॥ ૧. અરિહંત, સિદ્ધ, ચૈત્ય (મંદિર-મૂર્તિ), શ્રુત, ધર્મ (યતિધર્મ), સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન (= સંઘ) અને દર્શન (સમ્યક્ત્વ) એ દશનો ભક્તિ, પૂજા, પ્રશંસા, નિંદાત્યાગ, આશાતનાત્યાગ એમ પાંચ પ્રકારનો વિનય કરવો તે દર્શન વિનય છે. (પ્ર. સા. ૯૩૦૩૧) સમકિતના સડસઠ બોલની સજઝાયમાં ભક્તિ, બહુમાન, ગુણસ્તુતિ, અવગુણાચ્છાદન અને આશાતનાનો ત્યાગ એમ પાંચ પ્રકારે અરિહંતાદિ દશનો વિનય જણાવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy