SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૭૩ ક્રિયાઓમાં પ્રાધાન્ય / અપ્રાધાન્ય હોય તો પ્રધાનક્રિયા આખ્યાતથી અને ગૌણ ક્રિયા શત વગેરે, પ્રત્યયથી બતાવાય છે.” (વ્યક્તિવિવેક, ૨/૨૨, પૃ. ૨૭૨, એજન, વિવેક, પૃ. ૨૫૯, એજન). આ પછી પણ વ્યક્તિવિવેકમાં પૂર્વપક્ષ | ઉત્તરપક્ષ આપીને ચર્ચા લંબાવાઈ છે, પણ આચાર્ય હેમચન્દ્ર વિવેકમાં અહીં (પૃ. ૨૫૮ એજન) જ સમાપ્તિ કરે છે અને અલંકારચૂડામણિમાં નીચેની થોડી વાત નોંધીને અવિમૃષ્ટ વિધેયાંશ દોષની ચર્ચા આટોપી લે છે. વાસ્તવમાં વ્યક્તિવિવેક પૃ. ૨૦૭ ઉપર ચત્ / તદ્ ની ચર્ચામાં કઃ ને “ત'થી અભિન્ન માનવો કે કેમ તે અંગે વાત માંડીને, સૌ મળ્યુન્વિત વગેરે ઉદાહરણની ચર્ચા થઈ હતી. ત્યાં એક પ્રશ્ન એ વિચારાયો હતો કે, વત્ / તત્ તથા રૂદ્રમ્ / મદ્રઃ વગેરે વિશે તેમની ભિન્નભિન્નતા નક્કી કરવાનું કોઈ ખાસ પ્રમાણ નથી. ત્યારે વાત એમ છે કે, ઉપર્યુક્ત રીતે તો ‘મઃ' વગેરે તદ્' વગેરેથી અભિન્નાર્થક નથી. પણ છતાં, (અહીંથી ફરી હેમચન્દ્ર મૂળ અલંકાર-ચૂડામણિમાં અનુસંધાન કરી લે છે.) કોઈ વ્યક્તિ “વો વિ૫૦ વગેરે (શ્લોક ૩૬૧, મૂળ અલંકાર ચૂડામણિમાં) તથા મૃતિમૂ: સ્મૃતિમૂ.” (શ્લોક ૩૬૩, અલંકાર ચૂડામણિમાં, એજન) વગેરે પ્રયોગો જોઈને જ તે (=અભિન્નાર્થકતા) માની લે, તો (૧૬ વગેરે શબ્દોથી) દૂરસ્થ “મમ્' વગેરેની અભિન્નતા જ માનવી જોઈએ, અથવા જો તે અવ્યવહિત (=સમીપસ્થ) હોય તો તે જો ભિન્ન વ્યક્તિગત હોય ત્યારે જ તે (-અભિન્નતા, બની શકે, એ સિવાય તો તેમની તદભિન્નાર્થકતા” અન્યાપ્ય છે; ન્યાયપુરઃસરની નથી); અને અવ્યવહિત હોતાં તો ઊલટાની તઇતરની આકાંક્ષા રહે છે જ. જેમ કે, “યતનું વન્દ્રાન્તર' વગેરે (શ્લોક ૩૬૨, કાવ્યાનુશાસન એજન)માં તથા “સોડ્યું વર:૦' વગેરે (શ્લોક ૩૬૩, અલંકાર ચૂડામણિ, કાવ્યા એજન)માં જોવા મળે છે. હેમચન્દ્ર નોંધે છે કે, (પૃ. ૨૫૯, એજન, કાવ્યાશાસ્ત્ર) “સ્કૃતિપૂ” વગેરેમાં અવ્યવહિતત્વ હોવા છતાં આવો પ્રયોગ જણાય છે, ચર્ચાને ટૂંકાવતાં આચાર્યશ્રી કહે છે કે, ‘મરૈવ fમનવિ%િાનાં સોડર્વિવતમ્' (પૃ. ૨૫૯, એજન) [ નોમેન વગેરે શ્લોક ૩૬૪ અલંકાર ચૂડામણિ કાવ્યાનુશાસન) (પૃ. ૨૫૩ વ્યક્તિવિવેક એજન)માં, અહીં માર્યણ (અનુગ:) અને તાતચ (12) એમ કહેવું જોઈએ (તેને બદલે સમાસ કરવાથી દોષ આવે છે.) આ વાત વ્યક્તિવિવેક પૃ. ૨૫૩ એજન, પર કહેવાઈ હતી તે, ત્યાં આચાર્યે છોડી દીધી હતી. આચાર્ય કહે છે કે “આઈ' અને “તાત' પદોને સમાસમાં જોડીને તેમને ગૌણ બનાવવાં જોઈએ નહિ. આવું બીજા સમાસોમાં પણ ઉદાહત કરી શકાય. આ સાથે આચાર્યશ્રીની “અવિસૃષ્ટવિધેયાંશ દોષની ચર્ચા (પૃ. ૨૫૯, કા. શા. એજન) પૂરી થાય છે. આપણે જોયું કે, પ્રસ્તુત દોષની ચર્ચામાં આચાર્યશ્રીએ ૯૯% વ્યક્તિવિવેકનું અનુસરણ કર્યું છે પણ કોઈ પણ કારણસર અમુક અંશ વિવેકમાં ઉતાર્યો છે તથા અમુક અંશ મૂળ અલંકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy