SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ કાવ્યાનુશાસન તે પહેલાં ચારો વગેરે શ્લોકમાં રહેલા ધ્વનિને સ્પષ્ટ કરે છે (વિવેક પૃ. ૨૫ એજન) જે વાસ્તવમાં અસ્થાને બિનજરૂરી વિસ્તારરૂપ જણાય છે તેથી આપણે તે છોડીને આચાર્યશ્રી સાથે (વિવેક, પૃ. ૨૫૭, એજન) પુનઃ વ્યક્તિવિવેક કારિકાઓ, I ૧૮, ૧૯, ૨૦નું અનુસંધાન કરી આગળ ચાલીશું. આ કારિકાઓનો ભાવ આ પ્રમાણે છે : (વ્યક્તિવિવેક ૨/૧૮) – પણ આં(=સમાસ)નો પ્રયોગ શાન્ત, શૃંગાર અને કરુણરસો છોડી (બીજા) રસોની અપેક્ષાએ પ્રશસ્ય છે. (વ્યક્તિવિવેક ૨/૧૯) કેમ કે, સમાસ, છંદ (શબ્દ અને અર્થગત) વૃત્તિઓ, કાકુઓ વગેરે વાચિકાભિનયાત્મક હોવાથી રસાભિવ્યક્તિના હેતુઓ છે. વળી, એ સમાસ પણ અર્ધા પદ્ય સુધીનો જ કરવો જોઈએ, નહિ તો (લખાણ) ગદ્યરૂપ બની જવા સંભવ છે. ગદ્યમાં છંદ ન હોવાથી (છંદમાં જન્મતી) રસની અભિવ્યક્તિનું (એક કારણ ઓછું થાય છે.) (વ્યક્તિવિવેક ૨/૨૦, એજન); જેવું આગળના કäffક્ષતાપત ન વગેરે ઉદાહરણમાં જોયું. પછી, કારિકા ૨/૨૧ (વ્યક્તિવિવેક પૃ. ૨૬ ૮, એજન) ટાંકતાં આચાર્યશ્રી નોંધે છે કે, - જો સમાસથી એમાં આવેલા પદાર્થો)નો સંબંધ પરસ્પર તૂટતો ન હોય તો (તે સમાસનો ) વચ્ચે ભંગ ન કરવો, કારણ કે, તે વખતે સમાસભંગ), રસભંગકારક બની જશે. – (અહીં વ્યક્તિવિવેક પૃ. ૨૬૮ એજન) ઉપર “તસ્થછિનઃ' એવો પાઠ છે જ્યારે વિવેક, પૃ. ૨૫૮, એજન ઉપર “ તમનઃ' એવો પાઠ છે. વ્યક્તિવિવેકના સમીક્ષિત સંપાદન માટે કાવ્યાનુશાસનની મદદ લઈ શકાય. ) -જેમ કે, “માદ્યપિનડું' વગેરે (શ્લોક ૩૯૭, વિવેક, એજન) વગેરેમાં. અહીં આચાર્યશ્રી મહિમા(પૃ. ૨૬૮, વ્યક્તિવિવેક એજન, વૃત્તિ, ૨/૨૧ ઉપર)નો અભિપ્રાય સ્વીકારીને જણાવે છે કે પ્રસ્તુત શ્લોકમાં “શુપાવવન્દનઃ' એ પાઠ વધુ યોગ્ય છે. અહીં વ્યક્તિવિવેક (પૃ. ર૬૮, એજન) એવું નોંધે છે કે, ક્યાંક આ પાઠ, (@vun' વગેરે) પણ જોવા મળે છે. આ શબ્દો‘વવાથમિક પાડો દશ્યતે' તે વિવેકમાં વાંચવા મળતા નથી. એ પછી, વ્યક્તિવિવેકનો દોર (પૃ. ૨૬૯, એજન) પકડતાં આચાર્યશ્રી ફરી નોંધે છે કે, “આ વિધેયત્વ એ પ્રાધાન્યનું ઉપલક્ષણ છે કેમ કે, તે બે વચ્ચે અ-વ્યભિચાર જોવા મળે છે. તેથી પ્રધાનનો -વિમર્શ (-પ્રધાનાંશનું એ રૂપે ગ્રહણ ન કરાવું) તે દોષરૂપ જાણવો. જેમ કે, “àાં સમપિતતિ વગેરે (શ્લોક ૩૯૮, વિવેક, એજન). અહીં ફક્ત પ્રકાશનક્રિયાની જ પ્રધાનતા છે. બીજી ક્રિયાઓની નહિ ; તેથી એ બીજી ક્રિયાઓનો પ્રકાશનક્રિયા સાથે સમકક્ષ એ રીતનો ઉલ્લેખ તે દોષ જ છે. તે(ક્રિયાઓ)નો નિર્દેશ “શg' વગેરે પ્રત્યયો દ્વારા જ થવો જોઈતો હતો; આખ્યાત (=ક્રિયાપદ) દ્વારા નહિ. જેમ કે, “બ્રિા : માસુ” વગેરે (શ્લોક ૩૯૯, વિવેક, એજન) (વ્યક્તિવિવેક ૨૬૯, એજન)માં જો બધી જ ક્રિયાઓ પ્રધાનરૂપે વિવક્ષિત હોય, તો તેમને આખ્યાત વડે કહેવામાં આવે તો દોષ નથી. “જ્યાં કર્તા એક હોય, અને ક્રિયા અનેક હોય, ત્યારે જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy