SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૫૫ તો સંબંધ થઈ શકે. કાવ્યપ્રકાશમાં મમ્મટે આ જ ઉદાહરણ આપ્યું છે. મમ્મટ નોંધે છે કે, ગુણો પરાર્થ હોવાથી તેમનો પરસ્પર સંબંધ થતો નથી. તેથી “ઘ' શબ્દ વડે નિર્દેશ્ય અર્થો પરસ્પર “'- સમન્વય ધરાવે છે. આથી “ઃ' એ પદ વડે, વિશેષ્યની પ્રતીતિ થતી નથી. “HTTrરિ”િ એ પાઠ રાખવાથી સમન્વય થાય છે. ઉપર જે નોંધ આચાર્યે આપી હતી, જેમ કે, “ક્ષTIfમા ત તુ ઘરે પુતે સમન્વય' તેના અનુસંધાનમાં “વિવેક'(પૃ. ૨૨૪, એજન)માં આચાર્યશ્રીએ વિશેષ ચર્ચા છેડી છે, જે મહિમાએ વાચ્યાવચન દોષના સંદર્ભમાં (પૃ. ૪૩૦, વ્યક્તિવિવેક એજન) આપી છે. હેમચન્દ્ર અહીં અક્ષરશઃ વ્યક્તિવિવેકને અનુસરે છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે, ડૉ. કુલકર્ણી અને પ્રો. પરીખે આ મૂળ સ્રોતનો – આ એટલે આવા મહિમાને લગતા અનેક સંદર્ભોનો – ઉલ્લેખ કર્યો નથી. આચાર્યશ્રી મહિમા પ્રમાણે નોંધે છે કે, “પપરિજીને સ્થાને “#પરિમ:' એમ વાંચવામાં આવે તો ત્રણે “વત્' શબ્દાર્થો સમશીર્ષક રીતે દોડીને અગીભૂત એવા “ક્ષવામિ :' સાથે સંબંધ અનુભવશે, અથવા તો, જેમ કે, “તેનાથપ્રભાવ' (શ્લોક ૩૫૦, વિવેક, એજન) વગેરેમાં અનુવતિ' ક્રિયાની અપેક્ષાએ રાજા અને ઇન્દ્રનો કÁ ! કર્મત્વભાવ કહેવો કવિને અભિમત છે, પણ તેમનો આ સંબંધ સાક્ષાત્ કહ્યો નથી, કેમ કે, રાજાનો સંબંધ “જલલીલા' સાથે કહેવાયો છે. આથી તેમનો કાં તો સાક્ષાત્ સંબંધ બતાવવો જોઈએ, અથવા એ માટે કોઈ બીજી ક્રિયાનું ઉપાદાન (= ગ્રહણ) કરવું જોઈએ, જેથી એમનો કર્ત-કર્મ-ભાવ બરાબર ઘટી શકે. પણ આ બે વિકલ્પમાંથી એક પણ કવિએ કહ્યો નથી. તેથી, “અનન્વિતત્વ” દોષ આવે છે. (મહિમા અહીં આને ‘વાચ્યાવચન' દોષ કહે છે). તેથી, અહીં આવો પાઠ વધારે સારો ગણાય, જેમ કે, 'आकाशगङ्गारतिरप्सरोभिर्वृतोऽनुयातो मघवा विलासैः'. વાવ વિમત્તે' વગેરે(શ્લોક. ૨૭૯ એજન)માં ઉપમામાં તથા “સરસવામનૅo” (શ્લોક ૨૮૦) વગેરે પણ ઉપમાનાં ઉદાહરણોમાં હેમચન્દ્ર પ્રમાણે, ઉપમાન અને ઉપમેયના સાધારણ ધર્મનું વાચક પદ, લિંગ અને વચનના અનુસંધાનમાં વિસદશ હોવાથી ઉપમેય | ઉપમાન સાથે સંબદ્ધ થતું નથી, તેથી અનન્વિતત્વ દોષ આવે છે. લિંગ અને વચન ફેરવીને ઉપમાન સાથે સંબંધ ગોઠવાય તો પણ “અભ્યાસ' નામે વાક્યભેદ થઈ જશે. આમ, પ્રકૃતિ અર્થની પ્રતીતિ અવ્યવધાનથી નહિ થાય. ‘અભ્યાસ' નામે વાયભેદ થશે એમ કહીને આચાર્યશ્રી ઉમેરે છે કે, આમ પ્રકૃત અર્થની પ્રતીતિ અવ્યવધાનથી થશે નહિ, અને વિપરિણામ રૂપી શાસ્ત્રીય ન્યાય કાવ્યમાં યુક્ત જણાતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy