SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ કાવ્યાનુશાસન અન્યોક્તિના ઉદાહરણ જેમ કે, “મદુતેષુ' વગેરે (શ્લોક. ૨૩૨, એજન) (ભલ્લટ. ૬૯)માં “ચેતન પ્રભુ'નું અપ્રસ્તુત વિશિષ્ટ | સામાન્ય દ્વારા અભિવ્યંજન થઈ જાય છે તેથી મિ'માં અધિકપકત્વ છે. એ જ રીતે, “વિમાહિo' વગેરે(શ્લોક ૨૩૩, “મન્નર’ ૪)માં ભવદર્થનો અન્યોક્તિ દ્વારા આક્ષેપ થઈ જાય છે તેથી, “માનવ” એ પદનું આધિક્ય છે. મમ્મટની સરખામણીમાં આચાર્યશ્રીએ અધિકાદવની ખૂબ વિસ્તારથી ચર્ચા કરી છે, તથા કાલિદાસ, બાણ, માઘ, ભારવિ વગેરેની પણ ઉચિત સમીક્ષા કરી છે. આ અધિકારત્વ ક્યારેક ગુણરૂપ બને છે એ પણ તેઓ ચર્ચે છે, જેમ કે, “ વશ્વનાતિમતિ:0' (શ્લોક ૨૩૪ એજન, સુભાષિતાવલિમાંથી) વગેરેમાં બીજું “ વિન્ત' પદ અન્યયોગવ્યવચ્છેદ કરનાર છે તેથી અહીં, અધિકાદ– ગુણરૂપ બની જાય છે. મમ્મટે આ જ વાત, આ જ ઉદાહરણના સંદર્ભમાં, આ જ શબ્દોમાં કહી છે (પૃ. ૪૨૮, કા. પ્ર. એજન). ઉક્તપદવ માટે મમ્મટ “કથિતપદત્વ' એવી પરિભાષા યોજે છે. મમ્મટે તેની સમજૂતી આપી નથી જયારે હેમચન્દ્ર “ ર્વ દ્રિ પ્રયોગ:' એમ સમજાવીને મમ્મટે આપેલું ઉદાહરણ જ, જેમ કે, “દિરતનતત્પ' વગેરે (શ્લોક ૨૩૫ એજન) દોહરાવે છે. તેમાં સ્ત્રીના પદ પુનઃ કહેવાયું છે, તેથી ઉક્તપદત્વનો દોષ આવે છે. આ દોષ લાટાનુપ્રાસમાં ગુણરૂપ બની જાય છે, જેમ કે “ગતિ કુંજ' (શ્લોક ૨૩૬, એજન) વગેરેમાં શબ્દશક્તિમૂલધ્વનિના ઉદાહરણ ‘તાના નત્તિ Tr'o (શ્લોક ૨૩૭, એજન)માં પણ એવું જ છે, એ જ રીતે, જેનું વિધાન થયું છે તેના અનુવાદ્યત્વમાં, અર્થાત્ તેને અનુવાદરૂપે રજૂ કરવામાં પણ તે ગુણરૂપ બને છે, આવું ‘નિતેન્દ્રિયત્વે વિનયી વારjo' વગેરે (શ્લોક ૨૩૮, એજન)માં પણ બને છે. મમ્મટે આ જ વાત, આ જ ઉદાહરણના સંદર્ભમાં કહી છે કે, કથિતપદ– લાટાનુપ્રાસ અર્થાન્તરસંક્રમિત વાચ્ય અને વિહતના અનુવાદ્યત્વમાં ક્યારેક ગુણ બને છે. હેમચન્દ્ર અહીં મમ્મટનો અભિપ્રાય સ્વીકારે છે. હેમચન્દ્ર ઘણી વાર મમ્મટને શબ્દશઃ સ્વીકારે છે પણ મમ્મટે દોષોના ગુણત્વની ચર્ચા અંતે આપી છે જ્યારે આચાર્યશ્રીએ જે તે દોષના અનુસંધાનમાં જ આવી જે તે દોષના ગુણત્વની ચર્ચા આપી દીધી છે જે વિગત યોજનાની દષ્ટિએ વધુ યુક્તિયુક્ત જણાય છે. અસ્થાનપદત્વનું લક્ષણ હેમચન્દ્ર આપતા નથી. ઉદાહરણ મમ્મટ પ્રમાણે, “પ્રિયેળ સંગ્રેચ્યo' વગેરે (શ્લોક ૨૩૯ એજન) આપે છે. અહીં “સ્ત્રનું વન્ન નો' એમ કહેવું જોઈએ. કવિએ “સન્ન ન રિદ્ધિન' કહ્યું છે. મમ્મટ નોંધે છે કે, “શન વિનર' કહેવું જોઈએ. કવિએ ‘ન ખોટી જગ્યાએ પ્રયોજ્યો છે. આ પછી હેમચન્દ્ર આ દોષની ચર્ચામાં થોડો વધુ વિસ્તાર કરે છે, જે મમ્મટમાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy