SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦) મ. ૩. ખૂ. ]. અહીં, ભાવિ અમંગલનું સૂચન છે. ર1 એટલે અનુરાગવાળી. પ્રસાધિતા એટલે સજાવેલી ભૂમિ જેમના વડે. અને રક્તથી મંડિત ભૂમિ જેમના વડે. ‘વિપ્રદ એટલે વેર અને “શરીર’ સ્વસ્થા એટલે “કુશળ” અને સ્વર્ગમાં રહેલ”. • અવાચક હોવાથી, કલ્પિત અર્થયુક્ત હોવાથી અને સંદિગ્ધ હોવાથી વિવક્ષિત અર્થ કહેવાની શક્તિ ન હોવી તે છે અસમર્થત્વ. તે પદગત જેમ કે, જે (રાત્રિ)માં મેં તે ચંદ્રમુખીને જોઈ તે (રાત્રિ) અંધકારમયી મનાય છે અને તેના વિયોગની વેદનાને લીધે અંધકારમય બનેલા પીડાકારી (સમય)ને દિવસ માન્યો છે. શું કરીએ ? વિધાતા હંમેશ કુશળને વિષે પ્રતિકૂળ હોય છે. તેમ ન હોય તો શા માટે મારું જીવન હાલમાં તેવી (અંધકારમયી) રાત્રિરૂપ નથી થતું? (૩૦૮) અહીં, વિનું એ (૫૬) “પ્રકાશમય” એ અર્થને વિષે અવાચક છે. અથવા જેમ કે, નળા અને સાથળરૂપી નાળવાળો, નદનાં કિરણોરૂપી શોભતાં કેસરોની હારથી ભરેલ, તાજા અળતાની કાંતિના ફેલાવારૂપી કૂંપળોવાળો, મધુર અવાજ કરતાં ઝાંઝરરૂપી ભ્રમરવાળો, પોતાના શરીરરૂપ સ્વચ્છ લાવણ્યની વાવમાં ઉદ્ભવેલાં કમળોની શોભાવાળો, સ્વામીના નૃત્તના અનુકરણમાં કરેલો, ભવાનીનો કોમળ દંડપાઇ જય પામે છે. (૩૦૯) અહીં થતુ એ અર્થને વિષે વિવધતુ એ (પદ) અવાચક છે. અથવા જેમ કે, ત્રિપુરને જીતનાર (શિવ) તમારા ધનુર્વિદ્યાના આચાર્ય છે, તમે કાર્તિકેયને જીત્યા છે, શસ્ત્રથી ઉખાડી નાખેલો સમુદ્ર તે ઘર છે, આ ભૂમિ બ્રાહ્મણોને આપેલી ભિક્ષા છે. આ બધું બરાબર છે પરંતુ રેણુકાના કંઠને પીડા કરનાર તમારા પરશુ સાથે સ્પર્ધા કરતાં (મારી) તલવાર લજ્જા પામે છે. (૩૧૦) બાલરામાયણ- ૨.૩૦] અહીં વિનિત એ અર્થને વિષે વિનેય એ (પદ) અવાચક છે. અને જેમ કે, મહાપ્રલયના વાયુથી ખળભળેલા પુષ્પરાવર્તક નામે ભયંકર મેઘની ગર્જનાના પડઘા જેવો, કાનને ભયંકર લાગતો, આકાશ અને પૃથ્વીને સ્તબ્ધ કરતો, યુદ્ધરૂપી સાગરમાં ઉદ્ભવેલો આ અભૂતપૂર્વ રથ આજે ક્યાંથી આવે છે ? (૩૧૧) [વેણી. ૩.૪] અહીં “વ” શબ્દ મંડૂક વગેરેની બાબતમાં તો પ્રસિદ્ધ છે પરંતુ કહેવાયેલ વિશેષણવાળા સિંહનાદને વિષે તે અવાચક છે. અને વળી (કહ્યું છે કે), (૨૫) મંજીર (= નૂપુર) વગેરે (= રચના, ઘંટડી, ભમર) વગેરેને વિષે “રણિત” (કવણિત, શિંજિત, ગુજિત વગેરે), પક્ષીઓને વિષે “કુજિત” વગેરે, સુરતમાં “માણિત’’ વગેરે, મેઘ (સિંહ, ગજ) વગેરેમાં “ગર્જિત” વગેરે પદો પ્રયોજવાં જોઈએ. આ બધાને પ્રયોજાતા જોઈએ આ બધાંને પ્રયોજાતાં જોઈને તે રીતે પ્રયોજવાં જોઈએ. શબ્દાર્થ સમાન હોવા છતાં, તે અન્યત્ર (પ્રયોજાતાં) અનુચિત (જણાય છે). [દ્રટ-. ૨૫- ૨૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy