SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કાવ્યાનુશાસન રાજશેખરમાં પા.ટી.માં દર્શાવેલ ‘વમરમેત’ હેમચન્દ્ર મૂળમાં વાંચે છે જ્યારે રાજશેખર ‘વમરમે' વાંચે છે. હેમચન્દ્ર પૃ. ૧૮ પર ત્રણ શ્લોકો ટાંકે છે, જેમ કે, નાર:' વગેરે. જે રાજશેખર પ્રકરણ ૧૨ને અન્ત (પૃ. ૬૧, ૬૨) સાચા સ્થાને વાંચે છે. હેમચન્દ્ર, સંવર્ધકોડપર: વાંચે છે, જયારે રાજશેખર ‘સંવોડપર:' વાંચે છે. આ પાઠ હેમચન્દ્રમાં (પૃ. ૧૮ વિવેક) પાદટીપમાં વંચાય છે. હેમચન્દ્ર (વિવેક, પૃ. ૧૮,૧૯) “સમીપૂરાધા રૂતિ' - તથા ‘પદ્રસમસ્યા યથા'.. વગેરે વાંચે છે. રાજશેખરમાં ‘fમન્નાથનાં તુ પાનામેન પાનાન્વયનું વિત્વમેવ, યથા – મિદ Hિપ દષ્ટo' વગેરે (પૃ. ૬૦) વંચાય છે. હેમચન્દ્રની નોંધ, જેમ કે, “મૃ ત્સદ: પન્નાયતે [ વાં રાવળ હતઃ]' વગેરે રાજશેખરમાં નથી જણાતી. રાજશેખરના ‘મિદ મિપિત ન'ને સ્થાને હેમચન્દ્રમાં ‘મિપિ ઝિમ' વંચાય છે. પૃ. ૨૦, વિવેકમાં હેમચન્દ્રમાં “પ્રત્ વીચાર્યશૂન્યવૃત્તાપ્યાસો કથા'.... અને પછી કવિકંઠાભરણમાંથી લીધેલાં ઉદાહરણો વાંચવા મળે છે. અહીં હેમચન્દ્ર ક્ષેમેન્દ્રને અનુસરે છે. અન્ને હેમચન્દ્ર નોંધે છે. (પૃ. ૨૦, વિવેક) પર્વ મહાવાક્યર્થવર્વાપરત (પાઠભેદ ૦૫રક્ષા) કાવ્યપાઠીદ્યા: fશક્ષા અસ્પૃહ્ય: | પછી તેઓ નોંધે છે કે, “fઉં વાચ્યું... માતરોડણી વિત્વશુ' જે રાજશેખરમાં (પૃ. ૪૯) વાંચવા મળે છે જ્યારે તેઓ “વિવર્યાની ચર્ચા કરે છે. હેમચન્દ્રમાં આ શ્લોક - યથાસ્થાસ્થિત જણાય છે. પૃ. ૨૧, વિવેકમાં હેમચન્દ્ર કવિસમય અંગે ચર્ચા કરતાં સતોડા સામાચીનિવળ્યો યથા વગેરે નોંધે છે. અહીં પણ હેમચન્દ્ર દ્વારા રાજશેખરની રજૂઆતની વ્યવસ્થા સચવાતી નથી. આ ચર્ચા આપણે વિસ્તારથી એટલા માટે કરી કે, હેમચન્દ્ર “વિશિક્ષા'નો મુદ્દો ‘ાવ્યજ્ઞશક્ષા અભ્યાસઃ'ના સંદર્ભમાં યોગ્ય રીતે ગૂંથ્યો છે પણ તેમની રજૂઆત મૂળ રાજશેખરની સરખામણીમાં સુવ્યવસ્થિત જણાતી નથી. આપણે વિવેકના આ અંશને જરૂરી સ્થાનફેર કરી ફરી સંપાદિત કરવાનું સાહસ વિચારી શકીએ. કાવ્યહેતુની ચર્ચા કર્યા પછી આચાર્યશ્રી કાવ્યના સ્વરૂપની ચર્ચા હાથ ધરે છે. સૂત્ર /૧૨માં તેઓ કાવ્યનું લક્ષણ ટાંકે છે. કાવ્ય લક્ષણ - હેમચન્દ્ર પ્રમાણે કાવ્ય એવા “શબ્દ અને અર્થ' છે જે ‘ગોપી' દોષ વગરના, “સાળો' ગુણવાળા, અને “સાલારી' અલંકારવાળા - પણ હોય છે. હેમચન્દ્રનો અભિગમ સ્પષ્ટ છે કે, કાવ્ય સાલંકાર જ હોય, પણ ક્યારેક અલંકાર વગરના શબ્દાર્થોનું કાવ્યત્વ બની શકે એ શક્યતાને બતાવવા જ લક્ષણમાં ‘વ’ શબ્દ સામેલ કરાયો છે. વિવેકમાં (પૃ. ૩૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy