SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપુરુષ હતા, તેમને આગમ ગ્રન્થોમાં નિરૂપાયેલા તેમજ સચવાયેલા ધ્યાનયોગની વિશદતા અને વ્યાપકતાને જિનભક્તિજન્ય વિશિષ્ટ ક્ષય પશમ ભાવના અમાપ પ્રભાવે, ગૂઢ આગમ શિલીના મર્મને સરળ શબ્દદેહ આપ્યો, તેના અનુસંધાનમાં “યોગબિંદુ” યોગદ્રષ્ટિ સમુચ્ચય” “યોગવિંશિકા” અને “યોગ શતક' આદિ મનનીય ગ્રંથોની રચના કરી, તેમજ તેમણે અન્યદર્શનના પ્રામાણિક યોગો અને તેમાં નિર્દિષ્ટ પ્રક્રિયાઓ સાથે સુંદર સમન્વય કર્યો. - પોતે રચેલા “ગશતક'ના મંગલાચરણની પહેલી ગાથામાં જ યોગીઓના નાથ અને શ્રેષ્ઠ વેગના દર્શક શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “રોકાયાનુસાળં', અર્થાત્ “યોગ– અધ્યયન અને અનુસરીને હું યોગનું સંક્ષિપ્ત વર્ણન કરીશ એમ કહ્યું છે, આ યોગ અધ્યયન કર્યું ? ૨. એ વાતને સ્પષ્ટ કરતા ટીકામાં તેઓશ્રી પોતે જ લખે છે કે–નિવંધ-નિપાપ યોગની પ્રવૃત્તિ અને નિવૃત્તિ દ્વારા સમભાવને, આત્મભાવમાં રમણતા કરવાને સુંદર અભ્યાસ થાય છે. આ સામાયિક ધર્મ જૈન દર્શનનો એક આગવો યોગ છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ વગેરે સર્વ પ્રકારના યોગે એમાં સમાયેલા છે. ધ્યાન-ગ અંગેની ભ્રમણુઓથી ઊગરીએ ધ્યાન-યોગાભ્યાસની સમસ્ત પ્રક્રિયા પિતાને શુદ્ધ કરવા માટે છે. દેહ, ઈન્દ્રિય અને મનથી પર સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મતત્વને ઓળખવા અને અનુભવવા માટે છે. બધી રીતે થાકીને લોથ થયેલા લોકે માનસિક-શાતિ અને શારીરિક-સ્વાશ્ય માટે બીજા કેઈ ઉપાય કારગત ન નીવડતાં “ગ” તરફ આકર્ષાયા છે પણ આમિક ઉથાનના મહાન ધ્યેયને વરેલી થાનગની સાધનાને તેના મૂળભૂત તત્વોની ઉપેક્ષા કરીને, આજે માત્ર માનસિક શાંતિ અને શરીરના સવાશ્યનું લક્ષ્ય બનાવવામાં આવે છે. તે યોગ-સાધનાનું અત્યંત દુઃખદ અવમૂલ્યન છે, ઘેર અપમાન છે. તે માનસિક અશાંતિ અને શારીરિક રોગનું મૂળ, પોતાના આંતરિક દોષો છે, રાગ-દ્વેષ, કામ-ક્રોધ, માન-માયા અને તેના દ્વારા બંધાયેલા અશાતાદિ કર્મો છે. પોતાના જીવનમાં વ્યાપક બનેલી દુષ્ટ વૃત્તિઓ અને તજજન્ય પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ સ્થાપ્યા વિના પિતાના મનવચન-કાયાના અયોગ્ય દિશામાં થતા ઉપયોગને કી યે.ગ્ય દિશામાં તેને વાળવાને પુરુષાર્થ કર્યા વિના તન, મન અને આત્માની સાચી સ્વસ્થતા અને શાનિત પ્રાપ્ત થવાની કોઈ કાળે શક્યતા નથી. તે આત્માના અસ્તિત્વની, અને સચ્ચિદાનંદ સ્વરૂપની સંપૂર્ણ શ્રદ્ધા સાથે જેમનું તે સ્વરૂપ પ્રગટ છે. તેમજ જેઓ તેને પ્રગટાવવાને સાચે પુરુષાર્થ કરી રહ્યા છે, તે પરમ કૃપાળુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy