SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन બે અશુભ ધ્યાન – આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી, ધર્મ અને શુકલ ધ્યાનમાં ત૫ર થવું. (૬) કાર્યોત્સર્ગ – પાપશુદ્ધિ, વિનય, આદિ શુભ સંકલ્પપૂર્વક કાયાની મમતાને ત્યાગ કરી, કાયાને સ્થાનથી (સ્થિર ઊભા રહીને), વાણને મૌનથી, મનને નિશ્ચિત કરેલા ધ્યાનથી સ્થિર કરવું. આ આત્યંતર છ પ્રકારનું તપ, મન અને આત્માની વિશેષ શુદ્ધિ કરનાર છે. વીર્યાચારના છત્રીસ પ્રકાર જીવનું સામર્થ્ય, આત્મશક્તિ કે આત્મબળને “વીર્ય કહે છે. આ ઉક્ત જ્ઞાનાદિ ચારે આચારોના છત્રીસ પ્રકારનું મન, વચન અને કાયાની શક્તિને છુપાવ્યા વિના-થથાશક્તિ આચરણ કરવું એ જ વીર્યાચારના છત્રીસ પ્રકાર છે. આ પાંચે આચારના પાલનમાં રત્નત્રયી,* સામાયિક, દાન, શીલ, તપ અને ભાવ રૂપ ધર્મની આરાધના રહેલી હોવાથી, તેના દ્વારા સમગ્ર જિન શાસનની આરાધના થાય છે. થાન સાધનામાં આવશ્યક મન, વાણી અને કાયાની સ્થિરતાનું બળ આચારપાલનથી જ કેળવાય છે, આત્મવીર્યની પુષ્ટિ અને ગાની સ્થિરતામાં આચાર પાલન અગત્યનો ભાગ ભજવે છે. આ અપેક્ષાએ આચાર-પાલન એ ધ્યાનનું મૂળ છે. આ વાત સ્પષ્ટ રીતે સમજાય છે. (૩) સ્થામયોગનાં આલંબને મૂળપાઠ –રામમાત્રનાનિ–વંધ–સંજનબ્રટણ ૨ રાવણના વીરા !. उवसामणा-निहत्ती-निकायणा च त्ति करणाई ॥२॥" - Hપય” નાથા–૨. અર્થ :- સ્થાન યોગનાં આઠ આલંબને આ પ્રમાણે છે – (૧) બંધનકરણ, (૨) સંક્રમણુકરણ, (૩) ઉદ્દવર્તનાકરણ, (૪) અપર્વતનાકરણ, (૫) ઉદીરણકરણ, (૬) ઉપશમનાકરણ, (૭) નિધત્તિકરણ, અને (૮) નિકાચના કરણ. વિવેચન- “સ્થામ” એક વિશિષ્ટ આત્મ-સામર્થરૂપ છે. જે સામર્થ્ય-વિશેષથી જીવ પોતાના આત્મપ્રદેશ પર ચેટલા કર્મના દલિકોને ખપાવવા માટે ખેંચી લાવે અર્થાત ને કર્મલિકે અલ્પકાળમાં સરલતાથી ખપી જાય તેવી ભૂમિકાવાળા કરે તે “સ્થામગ” છે. ઉપર્યુક્ત બંધનકરણ આદિ આઠ કરણે સ્થામયોગનાં આલંબન છે. એટલે કે આ બ ધનકરણ આદિ કરશે જ્યારે વિશુદ્ધ કોટિનાં બને છે ત્યારે તેના આલંબને સ્થામગનું ઉત્થાન થાય છે. સ્થામગ આમિક સામર્થ સ્વરૂપ છે અને કરણ પણ આત્માને એક વિશિષ્ટ વીર્યપરિણામ વિશેષ છે. સાધક આત્મામાં જ્યારે એવા પ્રકારને અપૂર્વ પ્રયત્ન-અપૂર્વ વયે પરિણામ પ્રગટ થાય છે # વી િતિ ૨૪ નીવરત સ્ત્રાવ ” -विशषोवश्यकभाष्यः गा. २१७२ * સમ્યગ જ્ઞાન, સમ્ય દર્શન અને સમ્યક ચારિત્ર્ય આ ત્રણ ગુણને “રત્નત્રથી” કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy