SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮] ध्यानविचार-सविवेचन ગ્રહણ કરવાની તેની શક્તિ લુપ્ત થઈ જાય છે, અર્થાત સમગ્ર દેહ કાષ્ઠવત બની જાય છે. આ અવસ્થામાં કોઈ પશુ, દેહને કાષ્ઠનું ફૂઠું સમજીને તેની સાથે પિતાનું શરીર ઘસે છે, તે પણ સાધકના યાનને ભંગ થતો નથી. શરીર અને ઇન્દ્રિયના ચેતના સાથેના અનુસંધાનથી ઈષ્ટ-અનિષ્ટ પ્રસંગે કે પદાર્થોને લઈને જે રાગ-દ્વેષ આદિ વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય છે, તે વૃત્તિઓ પણ આ અવસ્થાએ (ચેતના આત્મગત થવાથી) ઉત્પન્ન થઈ શકતી નથી. સાગરમાં નાંખેલે મીઠાને ગાંગડ જેમ સાગરમાં મળી જાય છે, તેમ ચેતના આત્મામાં મળી જાય છે, કારણ તે ચેતનની જ જતિ છે. નિતનીકરણની અવસ્થામાં યોગી પુરષો પિતાના આત્માને શરીર અને ઇન્દ્રિથી સર્વથા ભિન્ન અનુભવે છે. આવા ભેદજ્ઞાન-પરિણુત મહાત્માના શરીરની જીવતી ચામડી ઉતરડી લેવામાં આવે કે તેમના મરાક ઉપર ધગધગ !ા અંગારા ભરેલી ઠીબ મૂકવામાં આવે તો પણ તેઓ આત્મ ધ્યાન-ભ્રષ્ટ થતા નથી, પરમ સમતા–રસના અખંડ પ્રવાહમાં જ નિરંતર ઝીલતા રહે છે. આત્મા સિવાય અન્ય સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સાથે ચેતનાને સંબંધ સર્વથા છૂટી જતાં, ભેગી અદશ્ય એવા આત્માના સહજાનંદને અનુભવે છે. એના પ્રભાવે અનુકૂળ યા પ્રતિકૂળ બની રહેતી વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે રોષ કે તાવ પેદા થતો નથી. જેમ બેમમાં વિહરતા વાયુયાનને કોઈ પૃથ્વી ઉપર ઊભા રહીને પથ્થર મારે તો તેના સુધી પહોંચતું નથી, તેમ આ કક્ષાએ સ્થિર યોગીને રાગ-દ્વેષ મુદ્દલ સ્પર્શતા નથી. ગશાસ્ત્ર ના અનુભવ પ્રકાશમાં “અમનસ્ક દશા” નો ઉદય થતાં યોગીને પિતાનું શરીર જાણે આત્માથી જુદું થઈ ગયું હોય અથવા બળીને ભસ્મ થઈ ગયું હોય અથવા તે જાણે આકાશમાં અદ્ધર ઊડી ગયું હોય-વિલીન થઈ ગયું હોય-એ અનુભવ થાય છે,પ૦ એમ જણાવ્યું છે. અમનક દશ”નું આ વર્ણન નિચેતનીકરણ” ની ભૂમિકાને સ્પષ્ટ કરે છે. હું દેહ નહિ, પણ મુક્ત આત્મા છું” આ પ્રતીતિ દેહભાવ નાબૂદ થાય છે ત્યારે જ થાય છે. ધ્યાતાને દેહની નિચેષ્ટ-નિચેતન અવસ્થાને અનુભવ આ કરણમાં થતો હોવાથી તેને નિચેતનીકરણ” કહે છે તેના આઠ પ્રકાર નીચે મુજબ છે : (૧) નિચેતનીકરણ, (૨) મહા – નિચેતનીકરણ, (૩) પરમ – નિચેતનીકરણ, ५०. विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् । अमनस्कोदयसमये योगी जानात्यऽसत्कल्पम् ।। ४२ ।। સરખા : -“ વોત્ર'; p. ૨૨. निएएनाखिलमिव शून्यमनसः स्वतः स्थितिस्तत्क्षणात् निलएलथ पाणि गदं करणग्रामो विकारोज्झितः । निर्मलप्रविनष्टमारुततया निर्जीवकाष्ठोपमो निर्वातस्थितदोपवत् सहजवान यस्याः स्थितेर्लक्ष्यते ॥ ७७ ॥ –“મમનરમ યો” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy