SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन (૨) નિશ્ચિત્તીકરણ મૂળપાઠ –fzતીયં વિત્તવિવાં મgધ-નિશ્ચિત્ત રવિવારિકા निश्चित्तीभवनमित्यादि ४ । चित्तं-त्रिकालविषयं चिन्तनम् , तदभाव उच्छवासाद्यभावहेतुः ॥२॥ અર્થ - બીજું કારણ ચિત્ત-વિષયક છે. તેના આઠ પ્રકાર આ પ્રમાણે છે : (૧) નિશ્ચિત્તીકરણ, (૨) મહાનિશ્ચિત્તીકરણ, (૩) પરમ–નિશ્ચિત્તીકરણ, (૪) સર્વ-નિશ્ચિત્તીકરણ, (૫) નિશ્ચિત્તીભવન, (૬) મહા-નિશ્ચિત્તીભવન, (૭) પરમ-નિશ્ચિત્તીભવન, (૮) સર્વ—નિશ્ચિત્તી ભવન. ચિત્ત એટલે ત્રણ કાળ સંબંધી ચિંતન. તેને અભાવ થવાથી તે ઉચ્છવાસ આદિના અભાવનું કારણ બને છે. વિવેચનઃ-ચિત્તને નિધિ કરે એ બીજું નિશ્ચિત્ત કરણ છે. મન અને ચિત સામાન્ય રીતે એકાWક નામે હોવા છતાં બંનેનું પૃથક્કરણ એ-તે બંનેના કાર્યભેદને સૂચિત કરે છે. સામાન્ય ચિંતન-પ્રવૃત્તિ એ મનનું કાર્ય છે અને ત્રણ “કાળ” વિષયક ચિંતન-પ્રવૃત્તિ એ ચિત્તનું કાર્ય છે. ચિત્તને નિરોધ થવાથી સાધક ત્રણે કાળ સંબંધી ચિંતન-પ્રવૃત્તિથી મુક્ત બને છે. ચિત્ત એ મનનું સક્ષમ સ્વરૂપ છે, જેમ વરાળ એ પાણીનું સુ વરૂપ છે. તેને (ચિત્ત) અભાવ થવાથી શ્વાસોચ્છવાસ વગેરેને પણ સહજ રીતે અભાવ થાય છે.. મન અને પ્રાણને પરસ્પર સંબંધ છે. જયાં મનની પ્રવૃત્તિ હોય છે, ત્યાં પ્રાણની પણ ગતિ હોય છે; જ્યાં પ્રાણની ગતિ હોય છે, ત્યાં મનની પ્રવૃત્તિ હોય છે. મનની પ્રવૃત્તિને અભાવ થવાથી, પ્રાણુની ગતિ પણ આપમેળે શાન્ત થઈ જાય છે. પ્રાણાયામ વગેરેની પ્રક્રિયા દ્વારા જે પ્રાણવાયુને ધારણ કરવાનું અશક્યવત્ હોય છે, અર્થાત ઘણું અઘરું હોય છે, તે પ્રાણવાયુ પણ આ નિશ્ચિત્તીકરણ દ્વારા સહજ રીતે શાન-સ્થિર થઈ જાય છે. (૩) નિશ્ચતનીકરણ મૂળ પાઠક–વીવં તનાવપ નિચેતનાના ૮ સારd __ चेतनाद्यभावरूपं, रागाद्यभावहेतुः ॥३॥ અથ -ત્રીજું ચેતના વિષયક નિશ્ચતનીકરણ આઠ પ્રકારનું છે. તે સમગ્ર શરીરમાં રહેલી ચેતનાના અભાવરૂપ છે અને તે રાગ વગેરેના અભાવમાં હેતુ બને છે. વિવેચન - પૂર્વનાં બંને કરણના સર્વ પ્રકારોમાં વિશુદ્ધ આત્માનુભવ કરતો યોગી, ત્રીજા નિતનીકરણની અવસ્થામાં આવે છે ત્યારે, તે પોતાની ચેતના શક્તિને સ્વાત્મસ્વરૂપમાં એવી રીત કેન્દ્રિત કરી દે છે કે જેથી તેનું સમગ્ર શરીર જાણે - ચેતનાને અભાવ થઈ ગયો હોય એવું નિશ્રેષ્ઠ બની જાય છે. હાથ-પગ વગેરે અંગે શિથિલ બની જાય છે, ઈન્દ્રિયોના વિકારે અને સ્વ-વિષયને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy