SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ] દશાવકાર-વિવેત્તર ચિંતન-પ્રવૃત્તિના નિરોધની પ્રાથમિક ભૂમિકા એ જઘન્ય ઉન્મનીકરણ છે. આ જ ઉન્મનીકરણ જ્યારે મધ્યમ કોટિનું હોય છે, ત્યારે મહેન્મનીકરણ કહેવાય છે અને ઉત્કૃષ્ટ કેટિનું હોય ત્યારે ‘પરમેનેનીકરણ કહેવાય છે. જે સાધકના જીવનમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ – આ ત્રણે ભેદવાળી ઉન્મનીકરણની અવસ્થા પ્રાપ્ત થઈ હેય, તેને ચે. પ્રકાર – કે જેમાં જઘન્યાદિ ત્રણે ભેદનું સંમિશ્રણ છે-તે સન્મનીકરણ કહેવાય છે. કહેવાને સાર એ છે કે – મનોલયની ભૂમિકામાં પ્રવેશ કરતા સાધકના જીવનમાં આ ઉન્મની. કરણ આદિ કરો પ્રાથમિક કક્ષામાં સામાન્ય ટિનાં હોય છે. પછી ઉત્તરોત્તર તેને અભ્યાસ વધતાં, તે મધ્યમ કોટિનાં બને છે અને ઉપશમ કે ક્ષપકશ્રેણિ વગેરે ઉખ્ય ભૂમિકામાં - આ કારણે ઉત્કૃષ્ટ કોટિનાં હેય છે. હવે પછી આગળ કહેવાના ચિત્ત આદિ અગિયાર કર ના જ ન્યાદિ ભેદ ઉત્પનીકરણની જેમ જ સમજવા. ઉન્મનીકરણ આદિ “કરણું” પ્રકારોમાં મન-ચિત્ત વગેરેને ક્રમશઃ જેમ-જેમ લય થતા જાય છે, તેમ–તેમ નિષ્કળ એવા આત્માને વિશેષ વિશુદ્ધ અનુભવ થતો જાય છે. કરણ અને ભવનની વ્યાખ્યા મૂળપાઠ-નવ વ ચત્ત શિવસે રામાપૂર્વજં તીર્થસારવિવર તર જાળr I यत् त्वनाभोगेनैव स्वयमुल्लसति मरुदेव्यादिवत् तद् भवनम् ॥१॥ - અર્થ :-શ્રી તીર્થકર ભગવંતોની જેમ કિરણ’નું સ્વરૂપ જાણીને ઉપગપૂર્વક કરાય, તે “કરણ” કહેવાય છે અને મરુદેવા માતાની જેમ ઉપયોગ (પ્રયત્ન) કર્યા વિના આપમેળે જ જે ઉલ્લસિત–પ્રગટ થાય, તે “ભવન’ કહેવાય છે. વિવેચન પ્રત્યેક મુક્તિગામી જીવને પૂર્વે બતાવેલા પ્રણિધાનાદિ યોગોની જેમ નિર્વિકલ્પ ધ્યાનરૂપ આ ઉન્મનીકરણ આદિની અવસ્થા પ્રાપ્ત થાય છે, કારણ કે આ મિનીકરણ આદિ કરણે પ્રણિધાનાદિ યોગોનું ફળ છે. મન-ચિત્ત વગેરેના નિધિની અવસ્થા સમજ અને પ્રયત્નપૂર્વક તેમજ સ જ રીતે એમ બંને પ્રકારે પ્રાપ્ત થઈ શકે છે. શ્રી તીર્થકર ભગવંતો આદિ પરમજ્ઞાની પુરુષોની જેમ જે સાધકો નિવિકલ્પ અવસ્થાનું જ્ઞાન (માગદશન) ગુર, શાસ્ત્ર વગેરે દ્વારા મેળવી, તેના યથાર્થ અભ્યાસ દ્વારા મન – ચિત્ત વગેરેને નિરોધ કરે છે, તે ઉન્મનીકરણ આદિ કહેવાય છે. મદેવા માતાની જેમ જે સાધકે સહજ રીતે નિર્વિકપ દશા વગેરેની ભૂમિકા પ્રાપ્ત કરે છે, તે “ઉ”નીભવન આદિ કહેવાય છે. - આ રીતે મન-ચિત્ત-ચેતના આદિ બાર વસ્તુઓના નિધની પ્રક્રિયા બંને રીતે થતી હોવાથી તેના “કરણ” અને “ભવન” એવા મુખ્ય બે વિભાગ પડે છે અને જઘન્યાદિ ભેદથી તે દરેકના ચાર-ચાર પ્રકાર થાય છે તે ક્રમશ; આગળ બતાવવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy