SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે સાધનામાં ભિન્નતા હોવા છતાં એક જ સાધ્યને સિદ્ધ કરનારા હોવાથી પરમાર્થતા તે સર્વમાં એકતા છે. અંતરાત્મદશા એ સાધક અવસ્થા છે. તેમાં ચતુર્થ ગુણસ્થાનથી અર્થાત્ સમ્યગ્ર દષ્ટિથી લઈને બારમા ગુણ સ્થાનક (ક્ષીણ મેહ) સુધીના સાધકે દયાન, યોગ અને સમાધિની ભિન્ન ભિન્ન અવસ્થાઓનો અનુભવ કરતા હોય છે. વસ્તુતઃ ત્રણે દયાનસ્વરૂપ હેવાથી એક છે. પ્રસ્તુત દયાન વિચાર ગ્રન્થમાં ધ્યાન, યોગ અને ચિત્માત્ર સમાધિ (કરણ) ના ભેદ, પ્રભેદ અને તેનું સ્વરૂપ બતાવવા દ્વારા સાધકદશામાં સંભવતા ધ્યાન, યંગ અને સમાધિની સર્વ ભૂમિકાઓનો નિર્દેશ કર્યો છે. તથા ધ્યાતા અને ધ્યેયના સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે. તેનું અધ્યયન-મનન કરવાથી યેગી પુરુષો કેવા-કેવા ધ્યાન પ્રયોગો, કેવીકેવી યોગ સાધનાઓ અને સમાધિની અનુભૂતિ કરીને કેવળજ્ઞાન અને નિર્વાણપદને પામ્યા છે કે પામશે તે જાણી શકાય છે. અને સાધક સ્વયં એ સાધના માર્ગનું અનુસરણ કરીને પોતામાં અંતનિહિત પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદમય સ્વરૂપને પ્રગટ કરી શકે છે. - દશાનં guસંવિત્તિઃ - અર્થાત્ એકાગ્ર ધ્યાન એટલે એક આલંબનવાળું, એક ધ્યેયવાળું જ્ઞાન. અર્થાત્ વિજાતીય જ્ઞાનના અભાવવાળી સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. ધ્યાન–યોગ વિષયક ગ્રન્થમાં ધ્યાન માટેની ભિન-ભિન્ન પરિભાષાઓ જેવા મળે છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં એક જ વસ્તુમાં અંતમુહૂત કાળ સુધી ચિત્તની અવસ્થાને ધ્યાન કહ્યું છે. તવાર્થસૂત્રકારે એકાગ્ર ચિંતા નિરોધ અર્થાત્ કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતાને ધ્યાન કહ્યું છે. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ મેક્ષ પ્રાપક ધર્મ વ્યાપારને (ગ) ધ્યાન કહ્યું છે. - શ્રી પતંજલિ ઋષિએ સ્વરચિત ગસૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધને યોગ-ધ્યાન કહ્યું છે. ૪. થોrt-થાન-સમાવિષ્ઠ ધીરેધઃ વાત-નિg | કરત: સંછીનતા તિ તત્વા : તા: ગુ: | –“રવિપુરા ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy