SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પ્રસ્તુત ગ્રન્થમાં આપેલી ધ્યાન-પરિભાષા “ચિંતા અને ભાવના પૂર્ણાંકના સ્થિર અધ્યવસાય”માં ઉક્ત પરિભાષાઓ કરતાં કંઇક વિશેષતા દેખાય છે, અને તે વિશેષતા એ છે કે તેમાં ચિત્તને ધ્યાનની ભૂમિકામાં લઈ જવા માટે અર્થાત્ ધ્યાનમાં સ્થિર બનાવવા માટે ધ્યાન પૂર્વે જે ચિંતા (ચિંતન) અને ભાવનાનું પ્રેરક બળ જરૂરી છે, તેના સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યા છે. સ્થિર-નિશ્ચત્ર અધ્યવસાય અર્થાત્ ત્માના પરિણામ-ખાત્માના ઉપયાગ એ ધ્યાન છે. ધ્યાનમાં સ્થિરતાનિશ્ચલતા લાવવા માટે પ્રથમ ધ્યેય પદાનું ચિંતન અને ભાવન કરવુ પડે છે. ધ્યેય પદાર્થનું ચિંતન ભાવન થયા પછી જ એકાગ્રતા પૂર્વકનુ નિશ્ચલ ધ્યાન થઈ શકે છે. ધ્યાનમાં ચેતના 'તર્મુખ થઈને અ ંતરાત્મરૂપી પરિણત થાય છે અને પછી સથા અહંકાર રહિત છનીને પરમશુદ્ધ પરમાત્મસ્વરૂપમાં ઉલ્લસિત અને છે, માતા તરફ ખેચાતા બાળકની જેમ પેાતાના દેહાર્દિને અનુકૂળ બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ અને પ્રતિકૂળ સામગ્રીના પરિહાર માટે હિ‘સા, જૂઠ, ચેરી, કામ-ક્રોધ-માન-માયા-લાભઈર્ષ્યા-નિંદા આદિ પાપ અંગે ચિત્તમાં વારવાર જે વિચારા-વૃત્તિએ ઉત્પન્ન થાય છે, અને તેને અનુરૂપ જીવનમાં જે જે પ્રવૃત્તિ સતતપણે થાય છે, તે સ અશુભ ચિંતા અને અશુભ ભાત્રનાના ઘરની હેવાથી અશુભ છે. આમ અનાદિ કાળથી અભ્યસ્ત અશુભ ચિંતા અને અશુભ ભાવનાને કારણે જીવને વારંવાર આત અને રૌદ્રધ્યાન થાય છે. આ બંને પ્રકારનાં અશુ । યાન મનવાળા (સંજ્ઞી) અને મન વગરના (અસ’સી) પ્રત્યેક જીવામાં ઓછા વત્તા અંશે હાય જ છે. આ અશુભ ધ્યાનનું શુભ ભાવના આવશ્યક છે. નિવારણ કરી શુભ ધ્યાન લાવવા માટે શુભ ચિંતા અને ચિંતા વિચારાત્મક છે. તેમાં જીવાદિ તત્ત્વનું અને ધ્યાન, પરમ ધ્યાન આદિનુ યથાર્થ સ્વરૂપ ચિંતવવું, એ મુખ્ય સાત પ્રકારની શુભ ચિંતા છે. ભાવના આચારાત્મક છે. તેમાં દન, જ્ઞાન, ચારિત્ર, વૈરાગ્યના અભ્યાસ કરવા, એ મુખ્ય ચાર પ્રકારની શુભ ભાવના છે. સાત પ્રકારની ચિંતા અને ચાર પ્રકારની ભાવનાનુ વિસ્તૃત વન આ ગ્રંથમાં કરવામાં આવ્યુ છે. આગમિક પરિભાષામાં કહીએ તા એ ચિ'તા એ ગ્રહણ શિક્ષા સ્વરૂપ છે અને ભાવના આસેવન શિક્ષા સ્વરૂપ છે. આ રીતે શુષ ચિંતા અને શુભ ભાવનાના સતત અભ્યાસ દ્વારા રિથર, શુભ અધ્યસાયરૂપ નિશ્ચળ ધ્યાનદશા પ્રગટે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy