SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] ध्यानविचार-सविवेचन શ્રુતજ્ઞાનમાં અક્ષરની પ્રધાનતા છે. તે અક્ષર સંસાક્ષર, વ્યંજનાક્ષર અને લખ્યક્ષરએમ ત્રણ પ્રકારના છે. તેમાં સંજ્ઞાક્ષરને (બ્રાહ્મી-લિપિને) “ભગવતી–સૂત્રમાં પણ નમો વંમદ સ્ટિવી પદ દ્વારા નમસ્કાર કરવામાં આવેલ છે. બ્રાહ્મી લિપિ વર્ણવલી – એ દ્રવ્યશ્રત છે અને તે ભાવકૃતનું કારણ છે. તીર્થકર ભગવંતો, ગણધરો અને કેવળી ભગવંતે પણ આ વર્ષાવલી વડે જ ધર્મ–દેશના આપી સમગ્ર વિશ્વને પાવન કરે છે, ભવ્ય જીવોને મોક્ષને માર્ગ બતાવે છે. તીર્થકર અને ગણધર ભગવંતને પણ સ્તુત્ય અને નમનીય હેવાથી “શ્રુત એ ઈષ્ટદેવતા છે. ૩૪ ધર્મ-કર્મને સમગ્ર વ્યવહાર વર્ણમાળાના અધારે ચાલે છે. ધર્મની પ્રત્યેક સાધના–જાપ, ધ્યાન, સ્વાધ્યાય, સ્મરણ, સ્તુતિ, સ્તોત્ર, ચિંતન, મનન, અનુપ્રેક્ષા અને ભાવના આદિમાં પણ વર્ણમાળાને જ પ્રયોગ થાય છે. આ રીતે વર્ણ-માતૃકાની મહાનતા, વ્યાપકતા અને પૂજ્યતા હોવાથી, ધ્યાનસાધનામાં પણ તેનું આગવું સ્થાન માન છે. (૫) “પરમાક્ષર” અને “અક્ષર” વલય પછી “નિરક્ષર વલયનું વિધાન એ સાધકને ચરમ અને પરમ ધ્યેય રૂપ નિરક્ષર આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ-પ્રાપ્તિ કરવાનું સૂચન કરે છે. ધ્યાન અને “પરમ ધ્યાન” સિવાયના શેષ બાવીસે પ્રકારનાં ધ્યાનેને અન્તર્ભાવ આ વલયમાં કરવામાં આવ્યો છે. નિરક્ષર વલયમાં મુખ્યતયા વાણી (અક્ષર) અને મનથી અગોચર એવા આત્મા કે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવાનું હોય છે. “શૂન્ય” વગેરે બાવીસ ધ્યાનભેદોમાં પ્રધાનતાએ તેના અક્ષરોના આલંબન દ્વારા તેના વાગ્યમાં એટલે કે નિરક્ષર એવા આત્મા કે પરમાત્માના સ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવાની હોય છે. તેથી જ જાણે તે ધ્યાને ન્યાસ “નિરક્ષર-વલય” માં કરવામાં આવ્યા છે એમ સમજાય છે. ૩૪. “જો સુમત્તિ નકરાતુ પ્રતાપ રાજીવIs વન-તમિgदेवतैव अर्हतां नमस्कारणीयत्वात् , सिद्धवत् नमस्कुर्वन्ति च श्रुतमहन्तः 'नमस्तीर्थाय' इति भणनात् तीथ च श्रुतं संसारसागरोत्तरणाऽसाधारणकारणत्वात् । અર્થ :- શ્રતને નમસ્કાર છે. શ્રુતને-દ્વાદશાંગી રૂપ અર્હત્ પ્રવચનને નમસ્કાર થાઓ. શ્રત ઈષ્ટદેવતા જ છે કારણ કે શ્રત સિદ્ધની જેમ, અહનોને નમસ્કરણીય છે અને “તીર્થને નમસ્કાર હા–એ પ્રમાણે બાલીને અહસ્તે શ્રતને નમસ્કાર કરે છે. સંસાર સાગરને તરવામાં મુખ્ય કારણ હોવાથી શ્રત–એ તીર્થ છે. -શ્રી માવતીપુત્ર, રાત-૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy