SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મપત્રસાર આ પ્રમાણે એક પાત્ર છે. ત્યાં “નિધાન” એટલે શ્રી પાર્શ્વનાથ સમજવા જોઈએ. નિધાન” – આ શબ્દ બહુ ઉપયોગી છે. તેને અથ શ્રી પાર્શ્વનાથ પ્રભુ છે. એક સ્થળે “કલ્યાણ” માસિકમાં મેં વાચેલું કે રાધા શ્રીકૃષ્ણને પિતાનું નિધાન કહે છે. જાન-એટલે જેની પ્રેમલક્ષણા ભક્તિથી કે માધુર્યથી નિધાન” રૂપ પિતે જ સામીપ્ય – નિકટતા આપે છે, હાજરાહજૂર થાય છે. પછી, “નિધાનરૂપ પાર્શ્વનાથ કેવા છે? તેનાં ગુણગાન છે. સ્યાવાદ કલ્પલતાન લેકમાં ગુણીનું પ્રત્યક્ષ દર્શન છે અને તે કેવી રીતે મળે છે? તેની એ ચાવી છે કે તેના ઉપર “અનુરાગ” કરવાથી. તે “અનુરાગ” એટલે “માધુર્ય અને અંતે “મહાનુભાવ સમાધિ. અ. (૪૬) તા. ૯-૧૦–૬૮. ગુણને અનુરાગ ગુણ દ્વારા જ દર્શાવી શકાય છે. તે વિષે આપશ્રીએ સમજૂતી આપી તે માટે આભાર માનું છું. “મરણ કરનારના ઘટમાં– અંતરાત્મામાં પાર્શ્વનાથ પ્રભુરૂપી નિધાનનું સન્નિધાન થાય છે....... આ શબ્દોથી મારે અર્થ સરતો નથી. મારું તે માનવું એવું છે કે પ્રભુને અ.રાધક જુએ છે, સાંભળે છે અને સ્પર્શે છે. Shri L. M. Bhatt નું પુસ્તક આપને મેકલીશ તેમાં આપ જોઈ શકશો કે હિંદુસ્તાનના સંતે એક જેવા પૂરતા અનુભવથી સંતોષ માનતા નથી, એમને ત્રણ અનુભવ જઈએ. આ ત્રણ અનુભવ એટલે જેવું, સાંભળવું અને સ્પર્શવું. આ ત્રણ અનુભવ ત્યારે થાય કે જ્યારે પ્રભુ હાજરાહજૂર હોય. “હાજરાહજૂર” શબ્દ આપને માન્ય જણાતો નથી, એટલે આપે તેનો પ્રયોગ કર્યો નથી. પણ હાજરાહજૂર એટલે ઈશ્વર અવતાર લે ત્યારે જ થઈ શકે તેવી આપણી માન્યતા ભૂલ ભરેલી છે અને સિદ્ધિગતિને પામેલા દર્શન આપવા પાછા કેવી રીતે આવે? આ પ્રશ્નન નિરર્થક છે. અહીં આરાધકની split Personality ને સવાલ છે. split Personality એટલે આરાધક પોતે જ પોતાને બાલશિવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy