SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ લેગર્સ – સૂત્ર આજુબાજુ છે, પરંતુ ટ્યૂન કરતાં આવડે તે જોઈતું સ્ટેશન મળે છે, તે પ્રમાણે આમાં પણ સમજવું. ઉપદેશપદની ગાથામાં જે “૩ાા” કલા સહિત ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું છે, તે ઘણું માર્મિક છે. જિનમંદિરમાં મૂળનાયક ભગવંત મોટે ભાગે પરિકરસહિત હોય છે, તે પણ “ફા” કલાના દર્શનાથે છે. સાકાર–પરમાત્માની ભક્તિ વડે જ નિરાકાર-પરમાત્માની સાથે સાધક પિતાને સંબંધ સ્થાપી શકે છે–એ એક સનાતન નિયમ છે; એટલે શ્રીજિનશાસનમાં અને અન્યત્ર પણ નિર્ગુણ-પથને છેડીને સર્વત્ર આકાર વડે જ નિરાકારની ઉપાસના કરેલી છે, એટલું જ નહિ પણ વિશ્વ ઉપર પરમાત્માને ઉપકાર દેહધારી અવસ્થામાં જ થયેલે છે અને થાય છે, તેથી પાયાને ગુણ જે કૃતજ્ઞતા તેનું પાલન પણ ” કલાવાળી સાકાર ઉપાસના વડે જ થઈ શકે છે. તે કારણે પ્રભુનાં રસ્તવન, સ્તુતિ, સ્તોત્રોમાં પ્રભુનાં નામ-શેત્રને મહિમા મુખ્યપણે વર્ણવેલ હોય છે, તેથી જનસાધારણમાં પ્રભુ પ્રત્યેની પ્રીતિ, ભક્તિ આદિ વિકાસ પામે છે. અમૂર્ત-જ્ઞાન જેમ અક્ષરોની મૂર્ત–આકૃતિ વડે ગ્રહણ કરી શકાય છે, તેમ પ્રભુના અનંતજ્ઞાનાદિ ગુણે પણ પ્રભુનાં મૂર્તદેહની આકૃતિ અને વીતરાગ અવસ્થા પ્રાપ્ત થયા પછીની અઘાતિક પ્રવૃતિઓના ઉદયવાળી અવસ્થા વડે જ પ્રભુનું સ્મરણ”, “ચિન્તન અને ધ્યાન', થઈ શકે છે. “લોગસ્સસૂત્રમાં અનુક્રમે “કીર્તન”, “વંદન” અને “પૂજન દ્વારા “ચિત્તપ્રસાદ’, “સમાધિ” અને “સિદ્ધિને લાભ વર્ણવ્યે તે દુકૃતગહ, “સુકૃતાનમેદન અને “શરણગમનારૂપ ઈરત્નત્રયીની શુદ્ધિ-વૃદ્ધિ માટે સુસંગત છે. જેમ દેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ, નિંદન”, અને ગર્વ છે-તેમ ગુણોની વૃદ્ધિ માટે પ્રતિકમણના સ્થાને કીર્તન, નિંદન'ના સ્થાને “વંદન” અને ગહણના સ્થાને પૂજનીન ઉલેખ યથાર્થ છે. ભાવથી “શરણગમન” માટે લેગસની અંતિમ ગાથાને ઉલ્લેખ કરી શકાય. કારની આકૃતિમાં પંચપરમેષ્ઠિનું જેમ સ્થાપન છે, તેમ પાંચ વર્ણો વડે ર૪ તીર્થકરેનું પણ સ્થાપન કરવામાં આવે છે. લેગસ્સની ૨-૩-૪ ગાથામાં “3” વલ વડે જિનનામનું ધ્યાન છે, તે વલયને આકૃતિમાં આલેખવામાં આવે ત્યારે તે આકૃતિ “રા' આંટાવાળે એંકાર જ બની જાય છે. એ રીતે ઉપદેશ પદની સાડાત્રણ કલાવાળી ગાથાને સંબંધ એજી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy