SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તે સમયના શૈવપંથ સાથેના વાદ-વિવાદને દર્શાવતાં અનંતતાને વ્યવસ્થામાં નાથવા માટે નામ, આકૃતિ આદિ ચાર આયામને ક્ષેત્ર અને કાલમાં વિભક્ત કરીને કઈ રીતે કેયડાનો ઉકેલ આ સ્તોત્રમાં કરવામાં આવ્યો છે –તે સાંકેતિક રીતે સમજાવેલ છે. શિવ-શકિતના આધાર રૂપ આહત્યનું વર્ણન આત્મસમર્પણની ભાવના તથા દેહાભિમાન ત્યાગવાની બુદ્ધિ ઉત્પન્ન કરે તેવું છે, જે અહંદુભકિત માટે પ્રેરણાદાયી ચિન્તન પૂરું પાડે છે. મંત્રરાજરહસ્યના આધારે ચેન પ્રજાનામૈવયમ્-એ સિદ્ધાન્ત સમજાવતાં ધ્યાનમાં વિશેષ પ્રગતિ સાધવા માટે સ્વદયાનું જ્ઞાન અત્યન્ત જરૂરી છે – એમ દર્શાવી સ્વરોદય જ્ઞાનનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે. “આહત્યને નાદ સ્વરૂપે ઘટાવી, “અનાહતનાદ’ના સ્થાને આગમિક ભાષામાં “અનાહતસમતાને શબ્દપ્રયોગ બતાવ્યું છે અને “સમતા એ જ મેક્ષનું પરમ કારણ છે – એ વાત દઢ કરી, “સમતા સાધવાના અનેક ઉપાયે દર્શાવ્યા છે. ત્યાર પછીના પત્રમાં તીર્થકરોનું “પરમગુરુપદ”, “યવાદની ગૂઢતા આદિ વિષ પર સુંદર ચર્ચા-વિચારણા કરતાં જણાવ્યું છે કે “મંત્રાગ', લોગ કે રાજગ' – કેઈપણ વેગનું નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક સેવન કરવામાં આવે છે તે અવશ્ય અનુભૂતિની ભૂમિકા સુધી પહોંચાડે છે. છે હૈ નમ:'– મંત્રમાં મંત્રશાસ્ત્ર મુજબ “સંધન', વિશેષણ અને “ટ્રાવણ – એ ત્રણે અંગે હેવાથી અહીં તેનો પૂર્ણ મંત્ર' તરીકે ઉલેખ થયો છે. તદુપરાન્ત વિવિધ સ્તોત્રની દ્વારગાથાઓનું મહત્ત્વ તથા “અષ્ટમૂર્તિ ', “ભૂ ભુવઃ સ્વઃ”, “ધરમધાતુ આદિ પદોની વિચારણા સાથે “તું જ રહ્યું ન જૈન-દૃષ્ટિએ સમન્વય –- સમગ્ર ઈશ્વરવાદને આહંન્યના મહિમામાં સમાવવા ઉપયોગી થાય તેવે છે. પ્રકરણના અંતિમ પત્રોમાં શ્રી હેમચંદ્રસૂરિએ જેમને પિતાના આદશ તરીકે સ્થાપ્યા છે તે શ્રી સિદ્ધસેનસૂરિની સ્તુતિ અને “સકલાર્વત’– સ્તોત્રમાં તાંત્રિક દષ્ટિએ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ-એ પાંચ તત્વેની આડકતરી રીતે થયેલી ગૂંથણ અંગેના વિચારો તથા ‘બિન્દુનવકમાં “નવપદના ધ્યાનની કલ્પના –-સાધકને પ્રેરણા આપે તેવી છે. 16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy