SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ નાડીશુદ્ધિ ૧૨૫ નાડીઓની શુદ્ધિ કરવા અથે જે મલશોધક અથવા લેમવિલેમ પ્રાણાયામને પ્રબંધે છે તે વિષે વર્ણન કરીશું, આ પ્રક્રિયા નૃસિંહાચાર્યના સિદ્ધાંત-સિંધુ' ગ્રંથમાંથી લેવામાં આવી છે પદ્માસનપૂર્વક બેસવું. (૧) જમણા હાથના અંગૂઠાથી જમણું નસકેરું દાબવું. ડાબા નસકેરામાંથી વાયુને ફેફસાં પૂરેપૂરાં ખાલી થાય ત્યાં સુધી ધીરે ધીરે બહાર કાઢવે. પછી ડાબા નસકેરાંથી વાયુ ભરે. અનામિકા અને કનિષ્ઠિકાથી તે નસકેરું બંધ કરવું. જમણા નસકેરા પરથી અંગૂઠે ઉઠાવી લઈને તે છિદ્ર દ્વારા વાયુને ધીરે ધીરે બહાર કાઢો. વાયુ લેતી વખતે સમય લાગે તેના કરતાં બહાર કાઢવામાં સમય બમણે લે. (૩) પુનઃ જમણુ નસકેરાથી તે જ પ્રમાણે વાયુને પૂર. (૪) ડાબા છિદ્ર ઉપરથી અનામિકા અને કનિષ્ઠિકા ઉડાવી લઈને તે વાયુને બહાર કાઢવે પછી ડાબાથી પૂર અને જમણાથી કાઢવે તથા પુનઃ જમણથી પૂરો અને ડાબાથી કાઢવો. આ પ્રમાણે ચાર પદકથી એક “લેમવિલેમ શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય. આવી રીતે અટક્યા વગર ધીરે ધીરે પણ વારાફરતી વ્યવસ્થિત રીતે પુનઃ પુનઃ “લામવિલેમ’–‘પૂરક–રેચક” દશ વખત કરીને અટકવું. થેડે આરામ લે. આવા પાંચ દશક સુધી એકાંતરા વધારીને પહોંચવું. આ પ્રમાણે ધીમે ધીમે દિવસમાં ત્રણ વખત કરવાથી અનેક રોગ નાબુદ થાય છે અને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થાય છે.” ઉપર્યુક્ત પ્રક્યિા સબીજ અને કુંભકવાળી પ્રસ્તુત ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. પરંતુ તેમાં જરૂર પૂરતે ફેરફાર કરીને અહીં ઉપર સાર આપવામાં આવ્યું છે. આવા ફેરફાર કરવાને તે ગ્રંથમાં એક સ્થળે નિર્દેશ છે. પરંતુ કુંભક સહિત “લેમવિલેમ” – “પૂરક–રેચક'થી શરીરની અત્યંત શુદ્ધિ થાય છે એટલું જ નહિ પણ આરોગ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy