SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ કાયાત્સર્ગે ૧૦૯ છે, જે ‘કાયાત્સર્ગ’થી થતા ફાયદાના પ્રત્યક્ષ પુરાવા રૂપ લેખી શકાય. તેરાપંથી શિબિામાં તે જે રીતે માર્ગદર્શન આપતા હેાય તે જાણી લેવુ જરૂરી છે. તેમાં જે નક્કર વાત હાય તે ગ્રહણ કરવી અને ‘પાયલમા ઝુલાસા’ની ગણત્રીની મુખ્યતા છે. ધ્યેય વિષયના કોઈ નિયમ નથી એમ પણ ‘ શ્રી લલિતવિસ્તરા'માં જણાવ્યું છે. મન, વચન અને કાયાના યોગની સ્થિરતા અને જ્ઞાન, દર્શન અને ઉપયાગની વિશુદ્ધિને પણ ધ્યેય તરીકે લઈ શકાય છે. ‘ લલિતવિસ્તરા ’નું તે સ્થળ જોવાથી સ્પષ્ટ થશે. 弱 (૯૪) અ. તા. ૭–૧૦–૭૩ હમણાં હું ‘કાર્યોત્સર્ગ ’ રાત્રે ૧૦ વાગ્યા પછી કરું છું. અર્ધા કલાક બરાબર નિશ્ચલ ઊભે રહું છું. કર્ણમાં જે ‘નાદ’નું શ્રવણ થાય છે તે ઉપર વધારે ધ્યાન જાય છે. તે સ્થિરતા આપે છે, પણ સંકલ્પ-વિકલ્પે સાવ બંધ થતા નથી. ઊભા રહેવામાં આગળથી ચાર આંગળ જેટલા નજીક અંગૂઠા રાખી શકતા નથી. કુદરતી ઊભું રહેવાય તેમ ઊભા રહું છું તે પગના અંગૂઠા ઓછામાં આછા સાત ઈંચ દૂર રહે છે અને પાછળની એડી તેથી આછી દૂર રહે છે. આમ ઊભા રહું છું તે અન્ને પગ ઉપર સમતુલાએ ભાર રહે છે, નહિતર ભાર આછે અદકા થાય છે એટલે શરીર જા–જા અસ્થિર થઈ જાય છે. ‘લય–યાગ’ માટે સાડાત્રણ વલયનું ધ્યાન શુદ્ધ સાધન છે. તે વિષે વિશેષ ધ્યાનમાં આવશે તેા જણાવીશ. ચક્રોનું ધ્યાન ગૃહસ્થી માટે નથી એવું કોઈ સ્થળે વાંચ્યું નથી, પરંતુ તે ચક્રભેદન તે ત્યારે જ કરી શકે કે જ્યારે તે બ્રહ્મચર્ય પાળતે હાય. 瓿 (૯૫) અ. તા. ૧૨-૧૦–૭૩ આજ રોજ મને ૮૦મું વર્ષ બેસે છે એટલે પ્રાતઃકાલમાં ઊઠીને દેવગુરુને વંદન કરતાં આપશ્રીને પણ વંદન કર્યાં' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy