SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી અપરિચિત વાચક અપકવ સમજણમાં એકાદ બે વાકયે કે એકાદ બે ફકરા અધ્ધરથી વાંચીને ગમે તે અભિપ્રાય બાંધી લેવાનું ક્યારેય સાહસ ન કરે તે માટે ખાસ વિનંતિ છે. જ્યારેય પત્રો લખાય છે ત્યારે તે બિલકુલ અંગત હોય છે. તેથી વ્યક્તિગત ભાવધારાને આત્મલક્ષી બનાવવા હેતુથી પૂછવામાં આવેલી કે જણાવવામાં આવેલી કઈ બાબત જે સૂક્ષ્મ સ્યાદ્વાદ-ષ્ટિએ ન લેવામાં આવે તે અત્યંત અહિતકર થાય. તેથી સુજ્ઞ વાચકને પોતાની આરાધનામાં સહાયક નીવડે એવા એક માત્ર સ્વલક્ષી હેતુથી “અધ્યાત્મપત્રસાર વાંચવા વિનંતિ છે અને જો તેમ થશે તે જ આ પુસ્તકનું વાચન-મનન અવશ્ય સાર્થક થશે. પ્રસ્તુત ‘અધ્યાત્મપત્રસારમાં સંકલિત ૧૭૦ પત્રોમાંથી ૭૫ પત્રો પરમ ઉપકારી પૂજ્ય ગુરુભગવંત પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના તથા ૯૫ પત્રો મુરબ્બી શ્રી અમૃતલાલભાઈના છે. આ બધા પત્રોને એકંદર ૧૮ પ્રકરણમાં વિભાજિત કરવામાં આવ્યા છે, તે દરેક પ્રકરણને સારાંશ નીચે પ્રમાણે છે: [1] નમસ્કાર – મહામંત્ર (પૃષ્ઠ ૧ થી ર૧) [અ. ૯+ ભ. ૧૫ = ૨૪ પત્રો] પ્રસ્તુત “અધ્યાત્મપત્રસારનો પ્રારંભ “નમસ્કાર – મહામંત્ર સંબંધી પત્રોથી થાય છે. આ પત્રોમાં મુખ્યત્વે “રમપદ તથા નવકારના પ્રથમપદ નમો વારિતાને અનુલક્ષીને વિશેષ વિચારણા કરવામાં આવી છે. નોને અથ સમાવિરામ અર્થાત્ ત થવું એ ધ્યાન ખેંચે તે વિશેષ અર્થ છે. આ અર્થ જાણી અથભાવનાપૂર્વક જપ– ધ્યાન આદિ કરવાથી દયેયમય થવા માટે આવશ્યક એવી ઉત્કૃષ્ટ આરાધનાનું રહસ્ય પ્રાપ્ત થાય છે. નવકારના પ્રથમપદ અને “શ્રીતત્વાર્થસૂત્રના પ્રથમ – સૂત્રને સમન્વય પણ ચિન્તનની નવીન સામગ્રી પૂરી પાડે છે. “નો, ‘હિં અને તા– એ ત્રણ પદમાં સમગ્ર દશન-જ્ઞાન–ચારિત્ર, નાદ-બિન્દુ 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy