SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મપત્રસાર એક માન્યતા એવી છે કે તેંત્ર કે સ્તવને એક દ્વારગાથા હેાય છે તેના શબ્દો લઈને જરા જુદી રીતે અર્થ કરીએ તે તે ધરણસર અર્થનિર્ણય થયે ગણાય. આપ જે ત અને કલા, નાદ, બિંદુને વિચાર કરે છે તેની દ્વારગાથા મળે છે? જ્યારે હું તે સ્તોત્રને નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવથી ઘટાવવા માગું છું. સ્તોત્રમાં પહેલી ગાથા માંગલિક છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય “ઈ” શબ્દને મંગલ તરીકે પ્રયોગ કરતા હતા આ સ્તોત્રમાં આહત્ય શબ્દ પ્રયોગ કર્યો છે તે રૂઢિ પ્રમાણે છે. બીજી ગાથાને દ્વારગાથા સમજું છું, તે પ્રમાણે દરેક ગાથા સમજવી. ત્રીજી ગાથામાં નામનું પ્રાધાન્ય છે. ચોથી ગાથામાં આકૃતિનું પ્રાધાન્ય છે. પાંચમી ગાથામાં દ્રવ્યનું પ્રાધાન્ય છે. (દ્રવ્ય એટલે ગુણવાળા). છઠ્ઠી ગાથામાં ભાવનું પ્રાધાન્ય છે. (ભાવ એટલે ગુણ). આ પ્રમાણે દરેક ગાથાનું સમજવું. ૨૬મી ગાથા “ભાવ” માટે બરાબર ઘટાવી શકાતી નથી એટલે ર૭ મી ગાથાને ઘટાવવી. આ પ્રમાણે ઘટાવવામાં અર્થનિર્ણયની મારી ભૂલ હોય તે આપ સુધારી શકે છે, પણ રીતિ તે મેં દ્વારગાથામાં જોઈ છે તે જ હેવી જોઈએ –એવી મારી નમ્ર માન્યતા છે. આ પ્રમાણે જ હું લેગસ', ઉવસગ્ગહર”, “લઘુશાંતિ ઘટાવું છું અને તે સઘળુંય આપ જાણો છો. “ક્ષેત્ર' અને “કાલ' ચોથો આયામ છે એટલે દરેક કલાકમાં તે ઘટાવવા જોઈએ. અ. (૭૧) મુંબઈ તા. ૧૬-૧૦–૭૪ પૃથ્વી, પાણી વગેરે અષ્ટમૂર્તિને શ્રી હેમચંદ્રાચાર્યે તેમના મહાદેવ – તેત્ર” ના લેક ૩ર થી ૩૪ નીચે પ્રમાણે ઘટાવ્યા છે. (૧) ક્ષિતિ – શાન્તિ, (૨) જલ -- શાંતિ – પ્રસન્નતા, (૩) વાયુ-પવન –- નિઃસંગતા, (૪) તેજ-હુતાશન - યોગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy