SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ સલાહંત'—સ્તોત્ર અર્થ વ્યવસ્થા કરીને અરિહંત ભગવતોની અમે ઉપાસના કરીએ છીએ. આ પ્રમાણે અર્થ વ્યવસ્થાના આધારે તેની સમ્યગ ઉપાસના થાય છે અને શ્રીઉપાધ્યાયજીની ભાષામાં તે તાદ્રીયધીનું (તે પ્રકારની બુદ્ધિનું) કારણ થાય છે. આથી સમજાશે કે તદ્રપપણુની બુદ્ધિ અમે ઉત્પન્ન કરી શકીએ છીએ. આ પ્રકારે અનંતતાને નાથવા માટે ચાર આયામ ( Dimensions) ને ઉપયોગ થાય છે. (૬૩) તા. ૮-૪–૧ ૭૩ શિવ-શક્તિના આધારરૂપ આહત્ય: “શૈવ સંપ્રદાયમાં શિવ અને શક્તિ – એ પરમશિવ અર્થાત પરમતત્ત્વનાં બે રૂપ છે. શિવ ફૂટસ્થ તત્ત્વ છે અને શક્તિ પરિણામિની છે. વિવિધ વૈચિયપૂર્ણ સંસારના રૂપમાં અભિવ્યક્ત શક્તિના આધારરૂપ અધિષ્ઠાન શિવ છે. શિવ અવ્યક્ત, અદશ્ય, સર્વગત તથા અચલ આત્મા છે. શકિત દશ્ય, ચલ તથા નામ-રૂપ દ્વારા વ્યક્ત સત્તા છે.” (શિવાંક, પૃષ્ઠ : ૨૮૮). જન સંપ્રદાયમાં આઈજ્ય એ પરમાત્મત્વ અર્થાત્ પરમ સિદ્ધતત્ત્વને - સત્ તત્વને અનુસરતું છત તત્વ છે, તે શિવતત્વની જેમ ફૂટસ્થ નિત્ય તથા શક્તિતત્વની જેમ પરિણમી પણ છે. તે સકલ અરિહંતાનું પ્રતિષ્ઠાન છે અને શિવ તથા શ્રી (શક્તિ) શક્તિ તથા શક્તિમાનરૂપ ઐયના અધિષ્ઠાનરૂપ-આધાર હોવાથી કૈવલાધિષિત છે અને ત્રણેય લેકમાં ભૂર્ભુવઃ સ્વઃ” માં અદ્વિતીય સામર્થ્યવાળું છે. આહત્ય એ શિવ સ્વરૂપે અવ્યક્ત, અદશ્ય, સકલ અહંદુગત તથા અચલ આત્મતત્ત્વ છે. તે શકિતસ્વરૂપે અદૂભગવંતમાં દશ્ય, ચલ તથા નામ અને રૂપ દ્વારા વ્યક્ત સત્તા છે. શિવને સાક્ષાત્કાર કરવા માટે વ્યષ્ટિભાવનું ઉલ્લંઘન કરીને ઊંચું ઊઠવું પડે. આ વ્યષ્ટિભાવમાં વ્યવહારિક જીવન જે ઉપાધિયુકત છે, તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy