SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૩] ઉવસગ્ગહરને અંગે જેમ યંત્રો રચાયાં છે તેમ ભક્તામર સ્તોત્ર પરત્વે ૪૪ ને બદલે ૪૮ યંત્રો મળે છે. કલ્યાણુમંદિર સ્તોત્ર માટે પણ યંત્રો રચાયાં છે. અને એ “કુન્થસાગર સ્વાધ્યાય” તરફથી “કલ્યાણમંદિર સ્તોત્ર” ના નામથી પ્રકાશિત પુસ્તકમાં અપાયાં છે. વિશેષમાં ચગશાસ્ત્ર અને ગડષિમંડલ તેત્રને અંગે પણ યંત્ર રચાયાં છે. આપણે ઉપર જોઈ ગયા તેમ વિસ્મગહરને અંગે જે આઠ વિવરણે પૃ. ૮૬-૮૭ માં સેંધાયાં છે તેમાં નિમ્નલિખિત બે જ વિવરણમાં યંત્ર અપાયાં છે. (૧) પૂર્ણચન્દ્રસૂરિકૃત લઘુવૃત્તિ અને (૨) દ્વિજપાશ્વદેવ ગણિકૃત લઘુવૃત્તિ. કપ–ઉવસગ્ગહરની દ્વિજપા દેવગણિકૃત વૃત્તિ (પૃ. ૯૭) માં કહ્યું છે કે આ તેત્રના વૃદ્ધોએ આપેલા ઉપદેશ અને ક૯૫ અનુસાર પિતાને ફુટબંધ થાય તે માટે આ સંક્ષિપ્ત વૃત્તિ રચાય છે. આમ અહીં તેમ જ પૃ. ૧૦૨ અને ૧૦૫ માં જે કલ્પને નિર્દેશ છે તે જ અત્ર પૃ. ૧૪૨ માં નેધેલા કપથી ભિન્ન છે? કે અભિન્ન ? તે નક્કી કરવા માટે ઉપર્યુક્ત વૃત્તિગત ક૫ વિષે અમુક માહિતીની આવશ્યકતા રહે છે. સંશોધન માટેની સામગ્રી–પ્રસ્તુત પુસ્તકમાં કઈ કઈ બાબતને અંગે પ્રશ્ન ઉપસ્થિત કરી એને નિરુત્તર કહી છે, તે કઈ કઈને “વિચારણય” અને કોઈ કઈ સમજાતી નથી એમ કહ્યું છે એ સંશોધકને માટે ખેરાક પૂરો પાડે છે. પ્રશ્ન-પ્રસ્તુત સ્તોત્ર કયાં રચાયું? અને એ લઈ જનાર સાધુ હતા કે શ્રાવક ? પૃ. ૬૩ ચિન્તામણિમંત્ર ૧૮ ને બદલે ૨૮ અક્ષરને કેવી રીતે થયો અને તરુણુપ્રભસૂરિએ એને અર્થ શા આધારે કર્યો ? પૃ. ૭૧ ૧૮ અક્ષરના મંત્રમાં વિભક્તિથી યુક્ત એકેયપદ નથી તે એને અર્થ કેવી રીતે કરે ? રત્નકીતિસૂરિએ પણ અર્થ કર્યો છે પણ આધાર જાણવામાં નથી. પૃ. ૭૨ જિણકુલિંગને અર્થ “પદ્માવતી” શાથી? પૃ. ૭૩ ઉવસગ્ગહરની નિત્યસમરયતા શાથી ? પૃ. ૬૧ ખરતરગચ્છમાં ઉવસગહરનું અંતિમ સ્મરણ તરીકે સ્થાન શાથી? વિચારણીય–પૃ. ૩૦ માં ટિ. ૨ માં મણિકર્ણિકા ઘાટ છે છતાં એને નદી કહી છે તે વિચારણીય છે. આ ઉવસગ્ગહરંને *નવસ્મરણમાં તપાગચ્છની જેમ દ્વિતીય સ્મરણ ન ગણતાં ખરતર ગરછીઓ જે સાત મરણ ગણાવે છે તેમાં એને સાતમું કહ્યું છે તેનું કારણ સમજાતું નથી. પૃ. ૯ અને ૧૨ સમયસુંદરગણિએ ઋાર મૂકવાનું કેમ સૂચવ્યું નથી તે વિચારણીય છે. પૃ. ૮૯ * આને અંગે “સ્મરણઃ સંજ્ઞા, સંખ્યા ઈત્યાદિ” નામને મારા લેખ “આત્માનંદ પ્રકાશ” (પૃ. ૪૭, અંક ૯) માં છપાયે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy