SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય : ૧૧૭ : જે, બાર વતેને ધારણ કરનાર ગુરુના ચરણોમાં વંદના કરી રહ્યો હતે રાજાએ તેને જોઈ જમવાનું આમંત્રણ આપ્યું ત્યારે ગુરુએ કહ્યું કે આને અઠ્ઠમનું પારણું છે તેથી આને સર્વ પ્રથમ જ ભોજન કરાવજે. રાજાએ તે કબૂલ કર્યું. તે શ્રાવક ભોજન માટે આવ્યો. તેને બેસાડશે. તેટલામાં પાંચસે શેઠિયા ભેજન માટે આવી લાગ્યા. એટલામાં તે શ્રાવક પારણું કરીને ઉઠે તેટલામાં આકાશમાં રહેલી મુદ્રિકા આકાશથી નીચે ઉતરીને પિતાની મેળે રાજાના હાથમાં આવી. રાજા વિચારવા લાગ્યો કે આજે આ શું થયું? શું દેવ કોપાયમાન થયો? યા તે મારી શ્રદ્ધા કંઈ ચલિત થઈ ગઈ? યા તે મારું પુણ્ય ક્ષીણ થઈ ગયું? કે પછી દેવતાએ કહેલું પુણ્ય આજે ખોટું પૂરવાર થયું ? હવે મારે મારું મહત્ત્વ કેમ સાચવવું? અને આ આવેલા પાંચસે અતિથિઓનું ગૌરવ આટલી શીવ્રતાથી કેવી રીતે કરવું? તેટલામાં દેવતાની વાણી થઈ કે રાજન! ચિન્તા ન કરશો. દેવતાનું વચન અસત્ય નથી હતું. આ એકને ભજન કરાવવાથી તેને પાંચસેને ભેજન કરાવવાનું પુણ્ય થયું છે. મેટાનું વાત્સલ્ય કરનારા તે ઘણાય છે પણ ગુણવાન એવા નાનાઓનું વાસયા કરનારા કેઈ નથી. આ તરફ રસેઈયાએ રાજા આગળ કહ્યું-પરમાન્નના પાત્રો ખાલી થયેલાં છે. તેટલામાં આકાશમાં રહેલા દેવે કહ્યું કે એમ ન બેલ. જઈને ત્યાં જે. મેં બધાં પાત્ર ભરી દીધાં છે. હજારો મનુષ્યને ભજન કરાવીશ તે પણ ખાલી થવાના નથી. આ સાંભળી રાજા ખૂશ થશે અને તેણે સૌને જમાડયા તેય તે પાત્રો આકંઠ ભરેલાં હતા. તેથી આખા નગરને નિમંત્રણ કરીને જમાડ્યું. નગરજનોને પણ આશ્ચર્ય થયું કે કયાંય ૨ાઈ થતી દેખાતી નથી અને સૌને દેવતાઈ આહાર આવતે જાય છે. તે શું કઈ દેવ રાજાને પ્રત્યક્ષ છે? કે પછી દેવે વરદાન આપ્યું છે કે શું ચિત્રાવેલ છે? કે પછી સુવર્ણપુરુષ મલ્યો છે? બધાને જમાડયા બાદ રાજાએ સભામાં કહ્યું કે આ બધું જે તમે જુઓ છે તે સઘળેય ધર્મને મહિમા છે. બાદ પ્રિયંકરે પોતાના માતાપિતાને શત્રુંજય મહાતીર્થની યાત્રા ખૂબ આડંબરપૂર્વક કરાવી. ત્યાં સાધર્મિક વાત્સલ્ય. સંઘપૂજા, અનુકંપાદાન, દાનશાળા વગેરે ધર્મકર્યો કર્યા. પ્રિયંકરના પિતા પાસદર શેડ શત્રુંજયની તળેટીમાં સ્વર્ગગામી થયા. તેમના નામથી પ્રિયંકરે શત્રુંજય પર દેવકુલિકા કરાવી, તે સ્થાને મહોત્સવ કરી રાજા પિતાના નગરમાં આવ્યા. ભગવાન ઋષભદેવની પાદુકાયુક્ત સેનાનું રાયણવૃક્ષ કરાવી રાજા પિતાને ઘેર પૂજવા લાગ્યા. જ્યારે રાજા વૃદ્ધ થયા ત્યારે પુણવને અવસર જાણી પિતાના પુત્ર જયંકરને રાજ્ય આપવાનું નક્કી કરી તેને યોગ્ય શિખામણે આપી સારા મુહૂતે પોતાની પાટે સ્થાપન કર્યો અને રાજા ધર્મક કરવા લાગ્યા. અષ્ટમી ચતુર્દશીએ પૌષધ કરે છે. સુપાત્રોમાં દાન દે છે. જ્યારે આયુષ્યને પ્રાન્ત ભાગ આવી લાગે ત્યારે અનશન આદિ અનેક પ્રકારનાં પુણ્ય કૃત્ય કરી પિતાનું આયુ સંપૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy