SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪ : ઉવસગ્ગહર* સ્તાત્ર સ્વાધ્યાય તે પછી રાજા ગુરુને વંદ્યન કરીને સ્વસ્થાને ગયે. હમેશ પ્રિય'કર રાજા, પાસે રહેલા શ્રીપાર્શ્વનાથ મદિરમાં રાત્રિના એક પ્રહર પર્યંત ઉવસગ્ગહર સ્તવનું ગુણન અને ધ્યાન કરવા લાગ્યા. એક વખતે શ્રી પ્રિયંકર રાજા શ્રીપાર્શ્વનાથની આગળ ધરવા માટે ભેાગસામગ્રી લઈ સંધ્યાકાળે તેમના ધ્યાન માટે પ્રભુના મંદિરમાં ગયા. સેવકે પ્રાસાદ્મની બહાર ઉભા રહેલા છે. સવાર થવા આવી. સભામાં રાજયગ પશુ આવી પહોંચ્યા. રાજા હજી સભામાં આવ્યા ન હતા તેથી પ્રધાનાએ અંગરક્ષકને પૂછ્યું કે રાજા હજી ક્રમ સમામાં નથી આવ્યા ? તેમણે કહ્યું કે રાજા દેવગૃડુથી આવ્યા નથી. પ્રધાને ત્યાં ગયા. વચલું કમાડ બંધ હતું. કમાડના કાણામાંથી તેમણે જોયું તે તેમને દેખાયું કે ભગવાન શ્રી પાર્શ્વનાથની સુધિ પુષ્પોથી પૂજા કરેલી છે, આગળ દીપક મળે છે પરંતુ રાજા બેઠેલા દેખાતા નથી. તેમણે વિચાર્યું" કે કદાચ રાજાને નિદ્રા આવી ગઈ હશે પણ પાછું તેમને થયું કે તે સ`ભવિત નથી. કારણ કે દેવગૃહમાં નિદ્રા તે ૮૪ આશાતના પૈકીની આશાતના છે અને રાજા આશાતનાના ભીરુ છે તે પણ પ્રધાનાએ મધુર વયનેથી રાજાને ઉદ્દેશીને કહ્યું કે ‘ રાજસભાને અલંકૃત કરી. સૂર્ય પણુ આપનુ' મુખ જોવા માટે ઉંચે ચઢી ચૂકયે છે. સમસ્ત સભાલેક આપને પ્રણામ કરવા માટે ખડે પગે ઉભા છે. તૈય અંદરથી કાઇપણુ ખેલ્યું નહિ. મન્ત્રીઓએ વિચાર્યું કે કઈક દેવે યા તે વિદ્યાધરે રાજાનું અપહરણ કર્યું લાગે છે અને તેથી કમાડ ઉઘાડવા માટે તેમણે અનેક ઉપાયે કર્યાં પણ તે સઘળા ઉપાયેા નકામા ગયા. કુહાડા માર્યો પણ તે ખુડ્ડા સાબિત થયા. દેવતાએ અંધ કરેલું કમાડ કેાઈ ઉઘાડી શકતું નથી. છેવટે મન્ત્રીએએ ભેગ સામગ્રી ધરી. ત્યારે તે મદિરના અધિષ્ઠાયક ખેલ્યા કે પુણ્યશાળી રાજાની દૃષ્ટિથી દ્વાર ઉઘડશે. રાજા આન૪માં છે. ચિન્તા ન કરશેા. પ્રધાનેાએ પૂછ્યું કે અમારા સ્વામી કયાં છે ? શું તેમનું કોઇએ અપહરણ કર્યું' છે ? તેએ કયારે પાછા આવશે ? દેવે કહ્યું- પોતાની ઋદ્ધિ દેખાડવા ધરણેન્દ્ર રાજાને લઇ ગયેલા છે અને તે આજથી દશમે દિવસે અહીં આવશે. અને દેવના સાંનિધ્યથી દરરોજ અહીં આવી પાર્શ્વનાથની પૂજા કરી આગળ દ્વીપક કરી પછી જ રાજા ભુજન કરશે. ’મન્ત્રિએ અને સમસ્ત રાજપરિવાર આ સાંભળી ખૂશ થયા અને પેાતાને ઘેર ગયા. લેાકેા દરરાજ પ્રાસાદમાં રહેલ પ્રતિમાની પૂજા થયેલી અને આગળ સળગતા દીપક આદિને જુએ છે. એમ કરતાં દશમે દિવસ આવી લાગ્યા. તે દિવસે મ`ત્રીએ અને રાજપરિવાર રાજાને લેવા માટે નીકળ્યા. તેટલામાં દેવતાઇ ઘેાડા ઉપર ચડેલા રાજા આવી લાગ્યા. સૌએ તેમને પ્રણામ કર્યાં. રાજાને મનમાં મહાન આશ્ચર્ય થયુ કે આ લોકોને મારા આગમનની ખબર કેમ પડી? અને તેથી તેમણે તે અંગે પૂછતાં મંત્રીઓએ જે બન્યું હતું તે કહ્યુ. રાજા ઉત્સવપૂર્વક દેવગ્રહ આગળ આવ્યા, તેમની દૃષ્ટિ પડતાં જ તત્કાલ કમાડ ઉઘડી ગયાં. જાણે કે આંબાને માંજર આવી ને કોયલના કંઠે ઉઘડી ગયા. વિધિપૂર્વ કે પ્રાસાદની પ્રદક્ષિણા કરી નિસિહી કરી રાજા મદિરમાં આવ્યા. વગેરે ભગવ’ત ક્લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy