SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] ઉપસંહાર કરે છે – તીવ્રભાવથી નિરંતર સેવાતી ઉત્તરગુણપ્રતિસેવા ચારિત્રને વિનાશ કરે છે. આથી જે સાધુ પ્રવચનની અપભ્રાજનાથી નિરપેક્ષપણે (પ્રવચનની અપભ્રાજનાના ભય વિના) દેષ સેવે છે તે બકુશનિગ્રંથ નથી, કિંતુ સ્પષ્ટ અનાચારી છે. કારણકે તેને ચારિત્ર પાળવાને લેશ પણ ભાવ હોતું નથી, અને અનાચારમાં પ્રવૃત્ત છે. તેથી તે સ્પષ્ટ અનાચારી છે. પણ બકુશ નિગ્રંથ (તેવો નથી, તે) તે પોતે સ્વીકાર કરેલા માર્ગમાં સ્થિરભાવવાળા એટલેકે ભાંગેલા ચારિત્રને સાંધી દેવાના દઢ પરિણામવાળો હોય છે, (આથી) ઉપકરણબકુશ અને શરીરબકુશ એમ બે પ્રકારને બકુશ નિગ્રંથ તરીકે ઘટી શકે છે. પ્રશ્નઃ- જે આ પ્રમાણે બંને પ્રકારને બકુશ નિગ્રંથ છે તે શાસ્ત્રમાં “અકાલે વસ્ત્રોનું પ્રક્ષાલન કરવું વગેરે બકુશપણની પ્રવૃત્તિને દેષ કેમ કહ્યા છે ? ઉત્તરા-તમારે પ્રશ્ન બરોબર છે, માત્ર જ્યારે બકુશના હીન (સંયમ) સ્થાનને પામે ત્યારે તે દોષ રૂપ હવાથી બકુશપણની તેવી પ્રવૃત્તિને દેષ કહ્યો છે. (બકુશપણાની પ્રવૃત્તિથી હીનસંયમસ્થાનની પ્રાપ્તિ થાય છે.) [૨૪] द्वयोरप्यनयो: प्रत्येकं भेदानाह दुविहो वि हु पत्तेयं, पंचविहो होइ सो पुणो बउसो । आभोगमणाभोगे, संवुडय असंवुडे मुहुमे ।। २५ ॥ 'दुविहो वि हुत्ति । स पुनर्बकुशो द्विविधोऽप्युपकरणशरीरभेदात् प्रत्येकमुपकरणे शरीरे च पञ्चविधो भवति-आभोगबकुशोऽनाभोगवकुशः संवृतबकुशोऽसंवृतबकुशो यथासूक्ष्मવવુતિ રજા હવે તે બંનેના ઉત્તરભેદો કહે છે - ઉપકરણબકુશ અને શરીરબકુશ એ બંનેના આગ, અનાભોગ, સંવૃત, અસંવૃત અને યથાસૂક્ષમ એમ પાંચ પ્રકારો છે. [૨૫]. एतानेव विवेचयति साहणमिणमकिच्चं, इय जाणतो वि कुणइ आभागे। મgotતોડગામોને, સંપુટ મૂહુરગુરુ ૨૬ 'साहूणति । साधूनामेतदकृत्यमिति जानन्नपि यः करोति दोषं स आभोगे बकुशः । 'अमुणंतो'त्ति, अकृत्यमेतदित्यप्रतिसंदधानो यो दोषं करोति सोऽनाभोगे बकुशः । 'संवुड'त्ति, विभक्तिलोपः प्राकृतत्वात् , मूलोत्तरगुणयोः स्वप्रतिज्ञातयोः 'संवृतः' निरुद्धविपर्यस्तप्रवृत्तिः सन् बाकुशिकसंयमस्थानयोगात् संवृतो बकुशः ॥२६॥ રુ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy