SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ 35 ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते થતા નથી, અર્થાત્ અનુમાન પ્રમાણથી સુવિહિતપણું વંદનીયપણાની સિદ્ધિ કરતું નથી. કારણકે તેમાં હેતુનુ' જ્ઞાન થતુ નથી. અનુમાન પ્રમાણમાં નિશ્ચિત (નિર્દોષ) હેતુ જ સાધ્યની સિદ્ધિ કરે છે. એ રીતે પ્રત્યભિજ્ઞાનથી પણ સુવિહિતભાવ ‘આ વંદનીય છે’ એમ બાધક બનતા નથી. કારણ કે પૂર્વે જે નિયતધમ વડે પ્રત્યભિજ્ઞાનથી જ્ઞેય વસ્તુના અનુભવ કર્યાં હતા, તે ધર્મનું જ્ઞાન સામે રહેલ તે વ્યક્તિમાં થાય એ જ પ્રત્યભિજ્ઞાન પ્રમાણ છે એવા અમારા સિદ્ધાન્ત છે, જેમકે દૂધમાંથી પાણીના ભેદ કરે તે હસ હાય’ એ વાકયથી દૂધ-પાણીના ભેદ કાર હુંસપનું વાચ્ય છે, એવું અનુભવ જ્ઞાન થતાં હુ‘સપદ વાચ્ય હ`સની પ્રત્યભિજ્ઞા (અર્થાત્ આ હંસ છે એવુ' જ્ઞાન) થવામાં સામે રહેલ વ્યક્તિમાં “આ દૂધ-પાણીના ભેદ કરનાર છે” એવું જ્ઞાન થવું જરૂરી છે. આ વિષયના નિર્ણય આકરમાં (એટલે કે પ્રમાણનય તત્ત્વાલાક ગ્રન્થની પરિ. ૩, સૂત્ર ૫ વગેરેની ટીકામાં) કર્યાં છે. તે પ્રમાણે અહીં આ વંદનીય છે’ એ વાકથથી સુનિતિપણારૂપ નિયતધર્મથી વંદનીયપણાના અનુભવ થવાથી વંદનીયપણારૂપ જ્ઞેયમાં (અર્થાત્ આ વંદનીય છે, એવું જ્ઞાન થવામાં) સામે રહેલ વ્યક્તિમાં સુવિહિતપણાનુ જ્ઞાન પ્રત્યભિજ્ઞા રૂપે થવુ જોઈએ. પણ તે પાર્શ્વ સ્થાદિમાં દુ`ભ છે. એમ પ્રત્યભિજ્ઞાન પ્રમાણુ પણ નિરર્થક છે. આથી રોહર, ગુચ્છા, પાત્ર વગેરે ‘લિંગને ધારણ કરવુ” એ વંદનીયતામાં કારણ છે. કારણ કે તે સહેલાઇથી (પ્રત્યક્ષ) જાણી શકાય છે. અહી' અનુમાન આ રીતે થઈ શકે:.. વંદનીય છે” કારણ કે × લિંગધારી છે, લિંગધારી છે માટે વંદનીય છે.” ઇત્યાદિ. આમ અનુમાન અને પ્રત્યભિજ્ઞા પણ સુખ પૂર્ણાંક થઈ શકે છે. માટે વંદનપ્રવૃત્તિનું કારણ લિંગ જ માનવુ જોઇએ, નહિ કે સુવિહિત ભાવ. કારણ કે સુવિહિતભાવ જાણવા દુષ્કર છે. ઈસાધનતાના નિર્ણય કરાવનાર હાવાથી વંદનપ્રવૃત્તિમાં કારણ પણ લિંગ જ છે. કારણ કે સામી વ્યક્તિ (વ`દારૂ)માં ઈષ્ટસાધનતાના નિયતધર્મનું જ્ઞાન વંદનની પ્રવૃત્તિ કરાવે છે. આથી જ છીપમાં ‘આ રજત છે’ એવુ જ્ઞાન રજતમાં પ્રવૃત્તિ કરાવનાર + છે. તેથી જ તે તે સ્થળે (પ્રમાણનયતત્ત્વાલેાક વગેરે ગ્રન્થામાં) “અન્યથાખ્યાતિની સિદ્ધિ કરેલી છે. આ પ્રમાણે (સૂક્ષ્મ દૃષ્ટિથી) સમજવું. [૧૩૩] * આ અનુમાન વાકય છે. × આ લિધારી છે માટે વંદનીય છે' એ પ્રત્યભિજ્ઞાવાકય છે, અને એ વાકયમાં આ લિંગધારી છે' એ પ્રત્યભિજ્ઞા છે. + ટીકામાં આવેલા અમુક શબ્દોના અર્થ આ પ્રમાણે છે.:- ફ્દસ્થ (મોક્ષાવે) સાધનમ્ । દસાધન ચન્દ્રને યસ્ય | યુદ્ધર્માવ છેવેન=પદ્ધર્મનિયમનેન । પ્રત્યમિસાવિધેય-પ્રમિાસાધ્ય ॥ પ્રમેયેસાથે (જ્ઞેયે) * જે વસ્તુ જેવા સ્વરૂપે હોય તે વસ્તુનું તે રૂપે જ્ઞાન ન થતાં અન્યથારૂપે થાય, તેને અન્યથા ખ્યાતિ કહે છે. અન્યથા=અન્યવેળા યાતિઃ=જ્ઞાન'। જેમકે શુક્તિમાં રજતનું જ્ઞાન. શુક્તિમાં રજતત્વના ભ્રમથી રજાના અથી શુક્તિને લેવા પ્રયત્ન કરે છે. આ અન્યથા ખ્યાતિ છે. ખ્યાતિના આત્મજ્ઞાતિ વગેરે અનેક ભેદો છે, તેના વિસ્તૃત ખાધ માટે જુએ પ્ર. ન. પ. ૧ સૂત્ર ૧૧ ની ટીકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy