SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्वविनिश्वये तृतीयोल्लासः ] પ્રસ્તુત વિષયની જ વિશેષ સિદ્ધિ માટે બીજુ દૃષ્ટાંત કહે છે: જો કે આ (૧૨૭ મી) ચાલુ ગાથા પહેલાં (પહેલા ઉલ્લાસની ૧૧૨ મી ગાથા તરીકે) જણાવી છે, તે પણ સ્થાન શૂન્ય ન રહે એ કારણે અહી પણ તે કહેવામાં આવે છે. નિ‘દ્યકુલમાં રહેનાર ચૌદ વિદ્યાના પારગામી પણ નિંદનીય બને છે. એ પ્રમાણે પાર્શ્વ સ્થાદિની સાથે રહેનારા સુસાધુઓ પણ નિંદનીય બને છે. અહીં કથા આ પ્રમાણે છેઃએક બ્રાહ્મણના પાંચ પુત્રો ચૌદ વિદ્યાના પારગામી હતા. તેમાંથી એક બ્રાહ્મણુ એક દાસીમાં આસક્ત બન્યા. તે દાસી મદ્ય પીએ છે. બ્રાહ્મણ મદ્ય પીતા નથી. તેથી દાસીએ તેને કહ્યુ: જો તુ દારૂ પીએ તે આપણા પ્રેમ ખરાબર થાય, અન્યથા આપણા સંબધ રસ (પ્રીતિ) વિનાના થાય. આમ તેણે અનેકવાર કહીને તેને મદ્ય પીવડાવ્યું. પહેલાં તા તે છૂપી રીતે પીવા લાગ્યા, પશુ પછી પ્રગટપણે પીવા લાગ્યા. પછી તેના અતિસ"ખ"ધથી (સેવનથી) માંસનુ... પણ સેવન કરનારા બન્યા. ચંડાળાની સાથે ફરવા લાગ્યા. પછી તા તેમની સાથે જ ખાય છે, પીએ છે અને રહે છે, તેથી તેના પિતાએ અને સ્વજનાએ તેને મધાથી (સ ંબંધથી) બહાર કર્યાં, અને ઘર વગેરેમાં પેસવા ન દીધા. તેથી એકવાર તે હતાશ બની ગયા ત્યારે તેના બીજા ભાઈ સ્નેહથી તેની ઝુપડીમાં આવીને તેને (જરૂરીયાત આઢિ) પૂછે છે અને કાંઈક ધનાદિ આપે છે. પિતાએ તેને (=ખીજા ભાઈને) પણ ઠપકો આપીને કાઢી મૂકયો. ત્રીજે ભાઈ બહાર શેરીમાં ઉભેા રહીને પૂછે છે અને કંઇક આપે છે. તેને પણ પિતાએ ઘર બહાર કાઢી મૂકશો. ચાથા ભાઈ પર પરાએ (=ત્રીજાએ દ્વારા) અપાવે છે. તેને પણ કાઢી મૂકયો. પાંચમા તે તેની ગંધ પણુ ઈચ્છતા નથી. તેથી તેના પિતા બ્રાહ્મણે ન્યાયાલયમાં (=કાટમાં) જઈને (સહી-સિક્કા સાથે) તેને ઘરના માલિક બનાવ્યેા. ખીજા ચારે પુત્રો બહાર કરાયા, તેથી લેાકમાં નિંનીય બન્યા. આ દૃષ્ટાંતનેા ઉપનય આ પ્રમાણે છે:-જેવા ચ'ડાલેા (કે હલકા માણસા) તેવા પાસ્થ વગેરે, જેવા પિતા બ્રાહ્મણ તેવા અહી. આચાય, અને જેવા પુત્રો તેવા સાધુએ જાણવા. જેમ તે પુત્ર બહાર કરાયા તેમ અહી કુશીલના સસ કરનારા સાધુઓને પણ બહાર કરાય છે, તેથી તે સંઘમાં નિંદનીય બને છે. પણ જે (કુશીલાદિના) ત્યાગ કરે છે, તે પૂજય બને છે, (અને ક્રમશ:) સાદિઅનંત એવા મેાક્ષને પામે છે. [૧૨૭] ननु कः पार्श्वस्थादिसंसर्गमात्राद् गुणवतो दोष: ? न हि काचमणिकैः सह प्रभूतकालमेकत्र agar agoणिः काचभावमुपैति स्वगुणप्राधान्यात्, न वा नलस्तम्ब इक्षुवामध्ये वसन्नपीसंसर्गतो मधुरत्वमुपयाति स्वदोषप्राधान्यात्, एवं गुणवानपि पार्श्वस्थादिसंसर्गे न गुणांस्त्यक्ष्यतीत्यत आह- Jain Education International भागदव्त्रं जीवो, कुसीलसंसग्गओ विणस्सिज्जा । rat विपसंगो, अओ णिसिद्धो सुविहिआणं ।। १२८ ।। [ શ્ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy