SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ ]. [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ભિન્ન ધર્મોની સત્તા સ્વીકારવામાં આવે તે વસ્તુ પણ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળી થઈ જશે, પણ એક સ્વરૂપવાળી નહી રહે. આ જ રીતે ભિન્ન ભિન્ન ગુણ સંબંધી આત્મરૂપ ભિન્ન ભિન્ન જ હોઈ શકે છે, પરંતુ એક હોઈ શકતું નથી. | ક્યારે ક્રમશઃ કથન અને કયારે યુગપત (=એક સાથે) થન? જ્યારે અસ્તિત્વાદિ ધર્મોમાં કાલાદિ દ્વારા ભેદની વિવેક્ષા હોય (અર્થાત્ ભેદ સિદ્ધ કરવાને હેય) ત્યારે એક શબ્દમાં અનેક ધર્મને કહેવાનું સામર્થ્ય નથી. (અર્થાત્ એક શબ્દથી અનેક ધર્મોનું જ્ઞાન થઈ શકતું નથી) માટે ધર્મોનું એક પછી એક કથન કરી શકાય છે, આને કેમ કહેવામાં આવે છે. પણ જ્યારે વસ્તુના તે અસ્તિત્વાદિ અનેક ધર્મોનું કાલાદિ દ્વારા અભેદને પ્રાપ્ત થયેલ આત્મરૂપ–સ્વરૂપ કહેવાનું હોય ત્યારે એક ધર્મનું કથન કરવામાં તત્પર એક જ શબ્દથી અસ્તિત્વ ધર્મ સાથે તાદામ્યને એટલે અભેદને પ્રાપ્ત થયેલ શેષ સમસ્ત ધર્મસ્વરૂપ વસ્તુનું કથન થઈ જાય છે તે ગપદ્ય છે, અર્થાત્ અસ્તિત્વાદિ કઈ પણ એક ધમનો વાચક “અસ્તિ” આદિ શબ્દ કાલાદિથી અભિન્ન બની ગયેલા બાકીના બધા ધર્મોનું પણ પ્રતિપાદન જ્યારે કરે છે ત્યારે યૌગપદ્ય જાણવું. | નયનું વર્ણન :જે નય અન્યાયનો તિરસ્કાર ન કરે તે સુનય છે. જે નય અન્યનયનો તિરસ્કાર કરે છે, તે દુર્નય છે. આ વિષે પૂ. દેવસૂરિજીએ (પ્રમાણુનયતત્તામાં) કહ્યું છે કે “આગમ પ્રમાણુથી જાણેલ વસ્તુનો કોઈ એક ધર્મ, તેનાથી અન્ય ધર્મોને ગૌણ કરીને જે અભિપ્રાયથી જણવાય, વક્તાને તે અભિપ્રાય નય (સુનય) છે. [પરિ. ૭ સુ. ૧] જે અભિપ્રાય પોતાને ઈષ્ટ ધર્મને સ્વીકાર કરીને અન્ય ધર્મોનો તિરસ્કાર કરે તે નયાભાસ (દુર્નય) છે.” (પરિ. ૭ સૂર) નયનો ઉલ્લેખ હજુ એ પ્રમાણે થાય છે. અર્થાત્ “જકાર” વિના પદાર્થ સત્ છે, એમ કહે છે. જ્યારે દુર્નયને ઉલેખ સેવ એ પ્રમાણે થાય છે. અર્થાત્ “જકાર પૂર્વક પદાર્થ સત્ જ છે= પદાર્થ સર્વથા સત્ છે એમ કહે છે. આ વિષે પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીએ (અન્યાગ વ્ય. કલેક ૨૮) કહ્યું છે કે“દુર્નયથી પદાર્થ સર્વથા સત છે, જ્યથી પદાર્થ સત છે, પ્રમાણથી પદાર્થ કથંચિત સત છે, એમ ત્રણે પ્રકારે પદાર્થનું જ્ઞાન થાય છે.? પ્રમાણુ–નયમાં ભેદ– પ્રમાણ અનંતધર્માત્મક સંપૂર્ણ વસ્તુને સ્વીકાર કરે છે. નય વસ્તુના અનંતધર્મોમાંથી કોઈ એક ધર્મને સ્વીકાર કરે છે. આથી નય પ્રમાણનો એક અંશ છે. નય અને પ્રમાણમાં આ જ ભેદ છે. જેમાં સમુદ્રના એક અંશને સમુદ્ર ન કહેવાય, તથા સમુદ્ર નથી એમ પણ ન કહેવાય. એમ નય પ્રમાણુ નથી, અને અપ્રમાણ પણ નથી. કિંતુ પ્રમાણને એક અંશ છે. (જૈન તર્કભાષા પરિ.-૨ સ્યાદાદ મંજરી શ્લેક ૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy