SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૨૨ વિના પણ સ્વતંત્રરૂપે શુદ્ધભાવ જનક છે? ઉત્તર –બંને રીતે નામાદિ ત્રણ શુદ્ધભાવ જનક છે. એટલે કે આ નામાદિ ત્રણ શુદ્ધભાવગુરુના છે એવું જ્ઞાન થાય તે તો શુદ્ધભાવ જનક છે જ, પણ એવું જ્ઞાન ન હોય તો પણ શુદ્ધભાવ જનક છે. કારણ કે આગમમાં ( રાયપાસેણિયમાં) કહ્યું છે કે –“મારું વહુ તફાવા દેવાળે માવંતા ગામનોત્તર વિ સરળયા” “તેવા પ્રકારના સ્થવિર ભગવંતોનાં નામ-ગેત્રના શ્રવણથી પણ મહાલાભ થાય છે.” અંગારમક નામના અશુદ્ધભાવગુરુના નામાદિ ત્રણે પાપકારી છે. કારણ કે –અશુદ્ધભાવ જનક છે. આથી જ મહાનિશીથ આદિ (મ. નિ. અ, ૫, ગચ્છા, ગા, ૩૭)માં આ પ્રસિદ્ધ છે કે –“હે ગૌતમ ! ભૂતકાળમાં કેટલાક આચાર્યો એવા થયા છે, ભવિષ્યમાં થશે અને વર્તમાનમાં છે કે જેમનું નામ લેવાથી પણ અવશ્ય પ્રાયશ્ચિત્ત આવે, તો પછી પરિચય આદિની તો વાત જ ક્યાં રહી.” પ્રશ્ન –અહીં અંગારમર્દક આચાર્યને અશુદ્ધભાવગુરુ તરીકે ઉલ્લેખ કર્યો, પણ પંચાશક (પંચા. ૬ ગા ૧૩, ઉપ. પદ ગા. ૨૫૮) વગેરેમાં દ્રવ્ય આચાર્ય જ કહેલ છે. આ વિરોધ નથી? ઉત્તર-ના. પંચાશક વગેરેમાં તેમને ક્યારે પણ શુદ્ધભાવની પ્રાપ્તિ નહિ થાય, એટલે અપ્રધાનતાની અપેક્ષાએ દ્રવ્ય આચાર્ય કહેલ છે. જ્યારે અહીં તેમાં વર્તમાનમાં અશુદ્ધભાવ રહેલ છે એ અપેક્ષાએ અશુદ્ધ ભાવગુરુ કહેલ છે. જેઓ તે વર્ષના દીક્ષિત હોવા છતાં વચનમાત્રથી પણ આગમથી વિરુદ્ધ કરે છે, તેમને નામસ્થાપનારૂપ જાણવા.” (મનિઅ. ૫) એ પાઠથી આગમથી વિરુદ્ધ કરનારાઓને નામ-સ્થાપના રૂપ કહીને તેમના દ્રવ્યપણાનું સૂચન કર્યું છે, કારણ કે દ્રવ્યપણાની વ્યાખ્યા નામ–સ્થાપનાની વ્યાખ્યા તુલ્ય છે. અર્થાત્ જેવું શુભ કે અશુભ દ્રવ્ય હોય તેવાં જ તેનાં શુભ કે અશુભ નામ-સ્થાપના હોય. એટલે આગમથી વિરુદ્ધ કરનારાઓને દ્રવ્યત્વની વ્યાખ્યાના આધારે નામ–સ્થાપના તુલ્ય કહ્યા છે. આગમ વિરુદ્ધ કરનારાઓને દ્રવ્યત્વની વ્યાખ્યા વિના જ સામાન્યથી નામ–સ્થાપના તુલ્ય માનવામાં આવે તો નામ-સ્થાપના માત્ર નિરર્થક બને. કારણ કે આનાથી તે શુભગુરુઓના પણ નામ–સ્થાપના નિરર્થક બની જાય.] નામ-સ્થાપના માત્ર નિરર્થક બને તે “તેવા પ્રકારના સ્થવિર ભગવંતનાં નામ-ગોત્રના શ્રવણથી પણ મહાલાભ થાય છે.” [ રાયપાસેણિય] એ આગમવચન અપ્રમાણ ઠરે. આમ દ્રવ્ય નામ-સ્થાપના તુલ્ય હોવાથી આગમ વિરુદ્ધ કરનારાઓને નામ સ્થાપના તુલ્ય કહીને તેમના દ્રવ્યત્વનું સૂચન કર્યું એ બરાબર છે. [૧૫] ૧. આમાં પોપટ-મેના વગેરેનાં દાંત છે. ઉપદેશપદમાં પોપટ-મેનાનું દૃષ્ટાંત છે. તેમને અરિહંતનું વિશેષજ્ઞાન ન હોવા છતાં જિનપ્રતિમાની ભક્તિથી લાભ થાય. ૨. દ્રવ્ય આચાર્ય બે પ્રકારે છે. ૧. પ્રધાન દ્રાચાર્ય ૨. અપ્રધાન દ્રવ્યાચાર્ય. જે આચાર્ય હમણાં ભાવઆચાર્ય નથી, પણ ભાવાચાર્ય બનવાને લાયક છે તે પ્રધાન દ્રવ્યાચાર્યું. જે આચાર્ય હમણાં ભાવાચાર્ય નથી અને ભવિષ્યમાં ભાવાચાર્ય બનવાને લાયક પણ નથી તે અપ્રધાન દ્રવ્યાચાયૅ, અંગારમર્દક અભવ્ય હોવાથી ભાવાચાર્ય બનવાને લાયક નથી. માટે એ અપ્રધાન કમ્પાચાર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy