SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ] આત્મામાં મેહરૂપ અંધકાર હોય ત્યાં સુધી ન જોઈ શકે. ગુરુ આ મોહરૂપ અંધકારને દૂર કરે છે. મેહાંધકાર દૂર થતાં જીવને પોતાના આત્માનાં દર્શન થાય છે. આમ ગુરુ બીજા જીવોનાં આત્મદર્શનમાં મેહાંધકાર દૂર કરવા વડે નિમિત્ત બની જાય છે. માટે ગુરુ બીજા જીવોનાં આત્મદર્શનમાં નિમિત્તકારણ છે.) આમ ગુરુ ભાવ દીપક હોવાથી અધિક પૂજ્ય છે. [૫] ખરેખર ! આત્માને ન માનવાથી અતિશય પાપી, મેહયુક્ત હોવાથી દુષ્ટ, કુવાસના અને અભિમાનના કારણે ધિçા. સ્વછંદતાના કારણે નિર્લજજ એવા પણ પ્રદેશી રાજા વગેરે જીવ કેશી ગણધર વગેરેના હસ્તાલંબનથી ઉક્ત દોષોને નાશ અને સુવાસનાને વાસ થવાથી પરમપદને = પુણ્યાનુબંધી પુણ્ય ભેગવવાને ચગ્ય સ્થાનને પામ્યા. આમ ગુરુ કરેલાં પાપ અને પાપના અનુબંધને નાશ કરનારા હેવાથી ગુરુનું જ શરણું લેવું જોઈએ. [૬] ખરેખર ! ઘરનો ત્યાગ કરીને ઉપવાસાદિ તપ કરવા છતાં કૌડિન્ય વગેરે બાલ તપસ્વીઓને કષ્ટનું જે ફળ ન મળ્યું તે ફળ ગુરુભક્તિથી જ મળ્યું. કૌડિન્ય વગેરે ૧૫૦૦ તાપને શ્રીગૌતમગુરુની નિશ્રાના પ્રભાવથી કેવળજ્ઞાન થયું. આ પ્રમાણે ગુરુભક્તિથી જ કષ્ટનું ફળ મળે છે. ગુરુભક્તિથી કઈ સજ્જ બને છે, ગુરુભક્તિ વિના કષ્ટ સફલ બનતું નથી. એટલે ગુરુભક્તિ ક્રિયાની સફળતામાં કારણ હોવાથી ગુરુને જ આદર કરવો જોઈએ. [૭] દુખગર્ભિત અને મેહગર્ભિત વૈરાગ્ય ઘણું લોકોને હોય છે. ઘણા લોકો કેવલ વર્તમાનકાલીન દુઃખના કારણે વૈરાગ્યવાળા બને છે. આ વિરાગ્યમાં આધ્યાન હોવાથી આ વૈરાગ્ય દુઃખગર્ભિત છે. ઘણા લોકે "ક્ષણિક અને નૈરામ્ય વગેરે મિથ્યા માન્યતાના કારણે મહાભિત વૈરાગ્યવાળા હોય છે. જેનેતર લેકમાં કોઈ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા હોય છે, તે કોઈ મેહગર્ભિત વિરાગ્યવાળા હોય છે. જેનોમાં પણ પાસસ્થા, નિતં આદિના અસદ વિચારોથી છેતરાઈ જવાના કારણે ઘણું લોકે દુઃખગર્ભિત અને મહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. આવા લોકો જન દેખાતા હોવા છતાં જન નથી, કિંતુ જૈનાભાસ છે. વૈરાગ્યનો માત્ર વેષ ધારણ કરનારા જૈનેતરે અને જેનાભાસે ઘણું જોવામાં આવે છે. તેમને વૈરાગ્ય દુઃખગર્ભિત કે મેહગર્ભિત હોય છે. પણ ગુરુને આધીન બનેલા જીવ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. કારણ કે THirdi નાળ ( પંચા. ૧-૭) ગુરુપરતંત્રતા એ જ જ્ઞાન છે. એ વચનથી ગુરુપતંત્રતા એ જ જ્ઞાનનું લક્ષણ છે. (કારણ કે જ્ઞાનનું જે ફલ છે, તે ફલ, ગુરુપારસ્તંયથી મળે છે.) આમ ગુરુ જીવમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્થાપન કરનારા હોવાથી ગુરુ જ મહાન છે. [૮] ૧. બૌદ્ધો સર્વ પદાર્થોને ક્ષણિક માને છે, આથી જ તેમના મતે આત્મા જ નથી. વસ્તુને કથંચિત નિત્ય માનવામાં આવે તો જ આમા સિદ્ધ થાય. નૈરાશ્ય એટલે આત્માને અભાવ. બૌદ્ધો સર્વથા આત્માના અભાવનું દર્શન થાય તે તૃષ્ણની હાનિ થાય એમ માને છે. જુઓ . બિ. ગા. ૪૫૮ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy